SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ KESÄVEURS ઘેષણ રૂપ પર્વાધિરાજ શ્રી પર્યપણું મહાપર્વના ૮ દિવસ અને બે-બે દિવસ આગળપાછળ ઉમેરી બાર દિવસનું અમારિ-પટ્ટક ભેટ ધર્યું. સૂરિજીની આજ્ઞાથી બાદશાહની ધર્મ જિજ્ઞાસાને સંતે વા રહેલ પૂ. શ્રી શાંતિચંદ્ર વાચકે વિવિધ હૃદયંગમ-ધર્મોપદેશ દ્વારા જ્ઞાનામૃતનું પાન કરાવી વર્ષમાં ૬ મહિના જીવહિંસા બંધીના ફરમાને બાદશાહ પાસેથી મેળવી ગુરૂચરણે ભેટ ધર્યા પૂ. આચાર્ય દેવશ્રીની પ્રતિભા, વિદ્વત્તા, અપૂર્વ–ત્યાગ, વિશિષ્ટ સંયમ, માર્મિક-ધર્મોપદેશ, ઈત્યાદિથી આકર્ષાઈને મેગલ સમ્રાટ અકબરે શ્રી સિદ્ધાચલ મહાતીથર, શ્રી ગિરનારજી, શ્રી કેશરીયા, શ્રી આબુજી, શ્રી સમેતશિખરજી વગેરે તીર્થો જૈન વેતામ્બર શ્રી સંઘની માલિકીનાં કરાવી તે બાબત પરવાના કરી આપેલા. આવા અનેક અનન્ય-સાધારણ વિશિષ્ટ અનમેદનીય કાર્યોથી સૂરિજીને જગદ્ગુરૂનું વિશેષણ પ્રાપ્ત થયેલ. આવા પુણ્યપ્રભાવક સૂરિજી વિ. સં. ૧૬૫૨ ભાદરવા સુદ ૧૧ ની રાત્રે સમાધિપૂર્વક ઉના (સૌરાષ્ટ્ર)માં સ્વર્ગવાસ પામ્યા. પૂ. આચાર્ય શ્રી પુણ્યશરીરને જ્યાં અગ્નિ સંસ્કાર કરેલ, તે સ્થાને સૂરિજીના ગુણગ્રાહી ભક્તિવંત શ્રીસંઘે સુંદર દેરી બનાવી તેમાં પૂ. આચાર્ય દેવની પાદુકા સ્થાપન કરેલ. કે જે આજે પણ ભવ્યાત્માઓને પૂજ્ય આચાર્ય દેવના ગુણની ગરિમાનું સ્મરણ કરાવતી સૂરિજીના અમર-કીર્તિદેહનું ઘડતર કરી રહી છે. 1 મહાપુરુષની પુણ્ય-છાયા છે સંસારના ત્રિવિધ તાપથી અકળાઈ રહેલા સંસારી – ને વિશુદ્ધ-જીવન અને ભાવ-વાત્સલ્યથી શુભતા મહાપુરુષે ધમ-ધખત રણમાં એકલા-અટૂલા રઝળતા મુસાફરને વૃક્ષની શીતળછાયાની જેમ અંતરંગ અપૂર્વ–શાનિત આપનારા હોય છે. તેથી જ ઉપકારી જ્ઞાની–ભગવંતોએ પવિત્ર પુરુષના સંપર્કમાં રહેવાની ભારપૂર્વક ભલામણ કરી છે.
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy