________________
Devam
શ્રી જગદગુરૂ-કાવ્ય આદિ ગ્રંથમાં જળવાઈ રહેલી ખંભાત, બોરસદ, કુણગેર, અમદાવાદ વગેરે કેટલાય નરોમાં પૂ. આચાર્ય ભગવંત પર વિતેલા ત્રાસ–જુલ્મની હકીક્ત તે સમયની વિચિત્ર-પરિસ્થિતિ ની જાણ કરાવે છે.
આ સૂરીશ્વરજીએ પિતાના સંગીજીવનમાં ઘણું-ઘણું આશ્ચર્ય—પમાડનારાં કાર્યો કર્યા હતાં.
તેમાં સૌથી મહત્ત્વનું ક મ મોગલ સમ્રાફ્ટ અકબર બાદશાહને પ્રતિબંધ કરી તેની મારફત જુદા જુદા સ્થળે અમ રિ-પડહ વગડાવ્યા અને પ્રભુ-શાસનની શોભા વધારી હતી.
ચંપા નામની શ્રાવિકાના છ મહિનાના ઉપવાસના બહુમાનાથે તેમને પાલખીમાં બેસાડી દહેરે દર્શન કરવા આડંબરથી લઈ જવાના પ્રસંગે મોગલ-સમ્રા અકબર બાદશાહે પિતાના મંત્રીઓ મારફત ચંપા શ્રાવિકાને આદરપૂર્વક બોલાવીને તપશ્ચર્યાને લગતી હકીક્ત પૂછી, ત્યારે ચંપા શ્રાવિકાએ દેવ-ગુરૂને અને વર્તમાનકાલીન પોતાના ગુરૂ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મ. ને પ્રભાવ કહી સંભળાવ્ય
તેથી માનું કલ્યાણ અને થાનસિંગ રામજી નામના જૈન-ગૃહસ્થોને બોલાવી સૂરીશ્વરજીને પધારવા માટે વિનંતિ–પત્ર લખે, સૂરીશ્વરજીએ શાસનની સેવા માટે સમયનું બળાબળ જોઈ મગલ–સમ્રાટ બાદશાહ અકબરના આમંત્રણને ધ્યાનમાં રાખી તે તરફ વિહાર કર્યો. .
અમદાવાદ, પાટણ, પાલનપુર, આબુ થઈ શિહીમાં શ્રી કુંથુનાથ પ્રભુના દહેરાસરની પ્રતિષ્ઠા કરાવી જોધપુર-સાંગાનેર- આગ્રા થઈ તેઓ ફતેહપુર-સિકીથી છ માઈલ દૂર અભિરામાબાદ આવી પહોંચ્યા.
વિસં. ૧૬૩૯ના જયેષ્ઠ વદી ૧૨ ના દિવસે સૂરિજીએ અપૂર્વ સ્વાગત સાથે ફતેહપુરમાં પ્રવેશ કર્યો.
જયેષ્ઠ વદી ૧૩ ના દિવસે બાદશાહ સાથે સૂરિજીની પહેલવહેલી મુલાકાત થઈ અને બાદશાહે પોતાના મિત્રમંડળ સાથે ઉભા થઈ સૂરિજીનું સ્વાગત કર્યું, પછી કેટલેક ઉપદેશ સાંભળે, જેના પરિણામે બાશાહ ભક્તિભાવમાં ગુલતાન બની તેમની વિદ્વત્તા પ્રત્યે બહુમાન ધરાવતો થયો.
પછી પૂ. આ. શ્રી હીરસૂરીશ્વરજી મ, ના સંપર્કમાં રહીને ક્રૂરતા, નિષ્ફરતા, હિંસા પરાયણતા આદિ દુર્ગણોને ગા કરી દયા-કરૂણાના સંસ્કારોથી ખૂબ જ ભાવિત બને.
પૂ. આચાર્યશ્રીના ઉપદેશથી પ્રભાવિત બની સમ્રાફ્ટ અકબરે ભેટ સ્વરૂપે બીજી કોઈ વસ્તુ જૈન સાધુપણાની રીતે ન સ્વીકારતા સૂરિ–ભગવંતના ચરણમાં આચાર્યદેવશ્રીને ઈષ્ટ અભયદાનની