SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ABBLVU ભયાનકતાને સમજાવનાર અને સંયમ ધર્મની સચોટ અસર ઉપજાવનાર નિખાલસ વાણી ભૂલી ગયા આપણે ?” આપણને નાનપણથી ઠંડી –ઠોકીને સંસારથી અળગા રાખવા અને પ્રભુ-શાસનના પંથે ધપાવવા રાત-દિવસ ચીવટ ધરાવનાર પૂ. બાપુજી શરીરની દરકારમાં જ અટવાઈ જાય એ કદી ન બને ! જરૂર આની પાછળ કોઈ ભેદ હશે જ !” આપણે રાત્રે પગ દબાવવા જઈશું ! ત્યારે અવસર મેળવી પૂછી જોઈશું ! પૂરી વાત જાણ્યા વિના મનના તરંગેના ડેલામણથી મુંઝાવું નહિ !” પૂ. ચરિત્રનાયકશ્રીએ વડિલ બંધુને ધરપત આપી તેથી મણિભાઈ જરા સ્વસ્થ બન્યા. આસો વદ પાંચમની રાત્રે પ્ર. ચરિત્રનાયકશ્રી પૂ. બાપુજીની પરિચર્યા–પગ દબાવવા રૂપે કરી રહ્યા હતા, મણિભાઈ જ અસ્વસ્થ હેઈ પાસે જ પથારીમાં સૂતા હતા, ઉંઘ આવતી ન હતી, શારીરિક-અસ્વસ્થતા કર માં સંયમ માટેની તમન્નામાંથી ઉપજેલી માનસિક અસ્વસ્થતા વધુ સતાવતી હતી. એટલામાં બટક-બેલા હેમચંદની પૂ. બાપુજીની સાથેની આડી-અવળી વાતેમાંથી પિતાને ગમતી–વાત તરફ વાતને વળાંક લાવવાની તરકીબ નિહાળી મને મન મણિલાલ પૂ. ચરિત્રનાયકશ્રીની આગવી-કુશલતા બદલ અભિનંદન આપી રહ્યા. પૂ. ચરિત્રનાયકશ્રીએ ધીમે રહીને અવસર જોઈ વાત છેડી કે-“બાપુજી! આપ તે પાકટઉંમરના અનુભવી અને અમારા - વનના સાચા રખેવાળ હિતેચ્છુ છો ! આપના ગંભીર–સ્વભાવને અનુરૂપ-વર્તની અમારે મન ખુબ જ કિંમત છતાં તુચ્છ-વભાવી મુદ્રમને ક્યારેક ટૂંકી સમજને લઈ ફિતુર ઉભા કરે છે, તેથી નમ્ર-ભાવે મારે એ પૂછવું છે કે “લીંબડીથી આવ્યા પછી પ્રબલ–વરસાદની જેમ ઘેધમાર વહેતી આપની વૈરાગ્યની ધારનો ઉપદેશ કાં ઠંડે થઈ ગયે છે? ઘરનું વાતાવરણ ખળભળેલું છે ખરું ! તેમ છતાં આપના ઉપદેશ અને શિખામણના ટેકે અમ-બાલકનું હૈયું સંસારના વિકારી–ભાવ સામે ટકી શકે ! પણ આપ હાલમાં સાવ ઉદાસીન ભાવે લીન બની અને યોગ્ય શિખામણ કાં આપતા નથી ? એમાંય વળી હમણું– હમણુ જયેષ્ઠ–બંધુની શારીરિક-શિતિની નબળાઈને વધુ મહત્વ આપી આપ કદી આવી વાતમાં માથું ન મારે, છતાં તેમની દવા કરાવવા અમદાવાદ દાદીમાને ત્યાં મેલી દેશી-દવાની તજવીજ આદિ ખટપટમાં આપ કેમ પ્રવત્યા છો ?” વડિલ-બંધુને તે સંયમની પ્રબલ ઉત્સુક્તા છે ! શરીર તે સંયમ-સ્વીકારના પ્રતાપે સારું થઈ જશે એમ ગણતરીમાં છે પણ તેઓ શારીરિક સ્થિતિ સુધારવા અંગેના આપના અવનવા વળણુને નિહાળી હતાશ , વા થઈ ગયા છે, કે શું બાપુજી પણ બીજા-સ્વજનવર્ગની જેમ મારી દીક્ષા બાબત સાગ આપવાના બદલે દવા અને તબિયતની ખટપટમાં ભળી ગયા કે ?” આદિ.. : - 2 આ. જી. ૩૫
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy