________________
12 BOVEN
છોકરીઓને પણ ખૂબ સહેવું પડયું, તેમ છતાં પૂ. ચરિત્રનાયકશ્રીની ધરપતભરી–શીખામણથી અને મગનભાઈને હાર્દિક-આશ્વાસનેથી “સેનાનેજ કસોટીએ ચઢવું પડે કે આગમાં પડવું પડે” એ વાતને નજર સામે રાખી સંયમ-પ્રાપ્તિ માટે પૂર્વ-ભૂમિકાનું ઘડતર કરવાની આ તક મળી છે! એમ સમજી બન્ને ભાઈઓ કુટુંબીઓની તથા વાત્સલ્યમૂર્તિ છતાં મહઘેલી માતાજીની મોહવશ કરાતી વિવિધ-પજવણીઓને ખમી રહ્યા.
ચોમાસાની શરૂઆતમાં મણિલાલને જોરદાર તાવ આવ્ય, ગલામાં શરદીની તકલીફ વધુ થઇ, તાત્કાલિક દવા-ઉપચારોથી રાહત થઈ, પણ શરીરમાં અશક્તિનું પ્રમાણ વધી ગયું, મણિલાલને ભય લાગ્યું કે “મને મોંઘેરા માનવશરીરને સંયમપાલન દ્વારા સદુપયોગ કરવાની તક મળે તે પૂર્વે “શરીર મં”િની કહેતી પ્રમાણે રોગો આ શરીર ઉપર જે કબજે વધુ જમાવી બેસે તે મારે સંયમ–ચારિત્રનો લાભ શી રીતે મેળવ?” આ સંબંધી ચિંતા-વિચારમાં શક્તિની વાઓ અને યોગ્ય પધ્ધ-પિષક આહાર લેવા છતાં શરીર બરાબર વળ્યું નહિ,
પર્યુષણ પ્રસંગે મણિલાલે પૂ.ચરિત્રનાયકશ્રીને ખરેખરા દિલથી કહ્યું કે “ભાઈ ! શું હું શ્રાવકકુલના ઉચ્ચતમ સંસકા પૂર્વના પુણ્યગે મેળવી તેની સફલતારૂપ સર્વવિરતિ ચારિત્ર ધર્મથી આમ ને આમ વંકિત જ રહી રેગેના ઘેરાવામાં અસહાય બની રહીશ ?..” આદિ.
૫. ચરિત્રનાયક શ્રીએ કહ્યું કે “વડિલ બંધુ! તમે તે સમજુ છે ! બાપુજીની દેરવણી પ્રમાણે તમે એગ્ય રીતે પુરૂષાર્થ કરી રહ્યા છે ! આ શરીરની ઉપાધિઓ આગન્તુક છે, નાહક ઢીલા ન થાઓ ! પવા ધિરાજની આરાધના કર્મોનું બેલ ઘટાડનારી છે, ખૂબ જ ઉમંગથી આરાધના કરે! હું તમારી સેવા-ભક્તિ કરવા તૈયાર છું! પૂ. બાપુજી પાસેથી યેચ-માર્ગદર્શન આપણે મેળવીશું જ ! તમે નાહિંમત ન થાઓ !” - આ વાતચીત જમનાબહેન સાંભળી ગયા અને ઘરમાં રોકકળ મચાવી મૂકી “હાય ! હાય ભગતે આ શું માંડ છે ? મારા બન્ને બાલકને સાધુ બનાવી દેવાની પેરવી ગોઠવી છે” આદિ આદિ અનેકવિધ બાબતોની રજુઆત કરવા પૂર્વક રડારોળ કરી મુકી.
આના પરિણામે પજુસણ દરમ્યાન ઘરનું વાતાવરણ ખૂબ કલુષિત બની રહ્યું.
મગનભાઈએ બને બાલકને “નૌન સર્વાર્થ–સાધન” ને ગુરૂમંત્ર શિખવાડી આપણુ કામથી કામ રાખી ઝાઝી કેઈની સાથે જીભાજોડ કે માથાકૂટમાં ન ઉતરવાની ભલામણ કરેલ.
પરિણામે ચેડા દિવસમાં બધું વાતાવરણ થાળે પડી ગયું, પણ મગનભાઈને લાગ્યું કે–“સીધા માણસની આ દુનિયા નથી ! “જેવા માણસ તેવી વાત”ની જેમ લક્ષ્યસિદ્ધિ માટે મારે ભગતમાંથી દેખાવ ખાતર પણ જરા સંસારી બનવું પડશે !”