________________
12 IDCVUONA
0 999
1
| પ્રકરણ-૧૫ છે પૂ. ચરિત્રનાયકશ્રીની છે , | સંયમની પૂર્વ તૈયારી
મંગલકારી-જિનશાસનની મર્યાદા પ્રમાણે સંયમ-ધર્મની તમન્ના સાથે પૂ. ચરિત્રનાયકશ્રી પિંજરે-પડેલ પિપટની જેમ દેખીતી રીતે સંસારી-બંધનમાં લગ્ન દ્વારા ફસાયા છતાં જયેષ્ઠ બંધું અને પૂ. પિતાશ્રીના મંગલ-સહકારથી ધર્મ-ક્રિયાઓની વિધિપૂર્વક–આચરણ અને વીતરાગ-પ્રભુની આદર્શ-ભક્તિ દ્વારા વૈરાગ્યની વિશિષ્ટ-કેળવણીના પથે ધપી રહ્યા હતા.
મગનભાઈ પિતાના સંતાનોની વિવિધ ધર્મ-પ્રવૃત્તિઓમાં બાલસુલભ-ઘેલછાભરી પ્રવૃત્તિ છતાં તાત્વિક-માર્ગે ધપાવનારી અંતરંગ–ભાવનાઓ નિહાળી ખૂબ સંતોષ અનુભવતા.
પ્રાસંગિક હિતકર-સૂચન દ્વારા સંતાનને ચગ્ય-રીતે પ્રભુ-શાસનના પંથે ધપવા આદર્શ પ્રેરણા આપતા.
વિ. સં. ૧૯૪૪ની અષાડ-ચમાસીની આરાધના દરમ્યાન બને ભાઈઓએ સંયમના પુનિત-માર્ગે મક્કમતાપૂર્વક પગલાં માંડવાના પ્રતીક રૂપે ઘરમાં પૂ. માતાજી આદિ સ્વજનવર્ગ સામે ધીરતાપૂર્વક સંચમ સ્વીકારવાની વાત જાહેર કરી.
તેથી મગનભાઈ ખૂબ જ પ્રમુદિત બન્યા, સ્વજન-વર્ગની વિવિધ શબ્દ- છલેની જાલમાંથી છટકવા માટેની ગૂઢ પ્રેરણાઓ બને સંતાનોને પોતે અવાર-નવાર ખાનગીમાં આપતા.
વધુમાં પિતાના તારક ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મના અવાર-નવાર વૈરાગ્ય-ભરપૂર ઔપદેશિક-પત્ર આવતા, તેનાથી પણ મગનભાઈ પોતાના બાળકોને ખૂબ વ્યવસ્થિત રીતે વૈરાગ્યના પંથે સ્થિર કરતા.
બા, જી. ૩૪