SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ES GINELE આ અરસામાં બને બાળકોના મસાલા પક્ષે વષીતપ જેવી મહાઉત્કૃષ્ટ-તપસ્યાના આરાધક બે પુણ્યવાનના અક્ષયતૃતીયાના પારણના પ્રસંગ ઉપર શ્રી સિદ્ધગિરિ-પાલીતાણું જવાને પ્રસંગ ઉભે થયે, જેમાં જમનાબહેન સંજોગવશ જઈ શકે તેમ ન હતા, એટલે મગનભાઈને જવું પડે તેમ થયું, અને બાલકો ગિરિરાજની યાત્રાર્થે છેલ્લા બે-ત્રણ વર્ષથી સમજણી-અવસ્થા થઈ ત્યારથી યાત્રા અને તે પણ પૂ. પિતાશ્રીની નિશ્રામાં થાય તેમ ઝંખતા હતા. વધુ આનંદની વાત એ હતી કે પૂ. તારક ગુરુદેવશ્રી લીબડીમાં બિરાજમાન હતા, તો ગિરિરાજની યાત્રા કરી વળતાં લીંબડી પૂ. ગુરુદેવશ્રીના રા રણમાં બેસી આંતરિક-વિચારે રજૂ કરી તે અંગે ગ્ય-માર્ગદર્શન જમનાબહેનની કુદરતી-બારહાજરી હેઈ વધુ સારી રીતે મેળવી શકાય ! એટલે મગનભાઈએ આ તકને સોનેરી-અવસર તરીકે અડપી બને–બાલકોને ખાનગીમાં ગિરિરાજની યાત્રા દ્વારા પ્રબલ પુણ્યનું ભાથું મેળવી ચારિક મેહના આવરણને તેડવાનું બેલ કેળવી તારક પૂ. ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મ. પાસે જઈ સુયોગ્ય–માર્ગદર્શન મેળવવાને અપૂર્વ લાભ મલશે વિગેરે વાત સમજાવી ગ્ય રીતે તૈયાર કર્યા. મગનભાઈ અને બાળક સાથે ચૈત્ર વદ ૧૧ના મંગલ મુહૂર્ત રવાના થઈ સુરત પહોંચ્યા. ત્યાંથી દરિયારતે ઘોઘા થઈ ભાવનગર પહોંચ્યા. ત્યાંથી હૈ. શુ. ૧ના મંગળ પ્રભાતે પાલીતાણું પહોંચ્યા. ખૂબ ભાવથી ચઢતા–પરિણામે બને બાળકને ગિરિરાજના અદ્દભુત-મહિમાને સમજાવવા સાથે વૈ. શુ. ૨ ના રોજ શ્રી સિદ્ધગિરિ દાદાની યાત્રા હલાસભેર કરાવી, ખૂબ હરખાતા હૈયે સંયમ-પ્રાપ્તિના આદર્શ મનેરને પરિપૂર્ણ કરવાના મંગલ–સંકલ્પવાલા મગનભાઈએ બને બાળક સાથે અષ્ટપ્રકારી પૂજા કરી. ભાવવાહી-સ્તવન બેલ વાપૂર્વક ચીત્યવંદન કર્યું અને આત્મશુદ્ધિના ધ્યેયને પહોંચી વળવા શ્રી નવકાર મહામંત્રનો જાપ કર્યો. વધુમાં શ્રી વીતરાગ-પ્રભુએ સંબોધેલ સર્વવિરતિના સર્વ-હિતકર માર્ગે ચાલવાનું અપૂર્વ—બળ મેળવવાના સંકલ્પ સાથે સમર્પણ-મુદ્રાઓ દાદાના ચરણે પંચાંગ-પ્રણિપાત વંદના કરી. પૂ, ચરિત્રનાયકશ્રીએ દાદા સમક્ષ ખૂબ જ ભાલ્લાસ સાથે સંયમ-ધર્મની પ્રાપ્તિના મનને પરિપૂર્ણ થવા માટે અંતરથી અંતરાય-કર્મને પટાવવા અપૂર્વ આત્મ-પુરુષાર્થ માટેની શુભ-આશંસા કરી. છ મણિલાલે પણ પૂ. ચરિત્રનાયકશ્રીની ચઢતી મંગલ-ભાવનાઓ સાથે કરાતી અપૂર્વ પ્રભુ-ભક્તિમાં સહયોગ આપે અને સંયમ-ધર્મના પથે વહેલામાં વહેલી તકે જઈ જીવન સફલ કરવાની તમન્નાને સક્રિય થવા માટે હાદિક રીતે શાસનદેવને આજીજી કરી, મજા, 9090 C 0 Remx5
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy