________________
SZÖVEURE
પચ્ચકખાણ દ્વારા આશ્રવના દ્વારેને બંધ કરી યોગ્ય રીતે જ્ઞાની-પુરૂની નિશ્રામાં રહી વ્યવસ્થિત રીતે વિધિપૂર્વક ધર્મની આરાધના કરવામાં આવે તે તેનું સુયોગ્ય ફળ વિવેકી-પુણ્યશાળી સહજમાં અનુભવી શકે છે કે –
“વિધિપૂર્વક જ્ઞાનીની નિશ્રામાં આચરાયેલ ધમ-કિયાના આધારે અંતરંગપાપ કરવાની–વૃત્તિઓ પલટાઈ જાય છે. પરિણામે મેહના સંસ્કારની ચીકાશના આધારે ટકનારા કર્મના અશુભ પુદ્ગલે આપોઆપ ખરી પડે છે.”
આમ છતાં એક વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે
“સંસારમાં રહેલે ગૃહસ્થ પાપ-પ્રવૃત્તિ વખતે અંતર્દ છે જાગૃત ન રાખે અને નિર્વસ પરિણમી થઈ જાય કે એમાં શું થયું ? આપણે તે સંસા માણસ છીએ ! એ તો બધું ચાલે ! તે આ જાતની નિકૃષ્ટ-વિચારણાથી અંતરની વૃત્તિઓ માં પાપની હેયતાના સંસ્કારે સુદઢપણે સ્થાન ન પામે, જેથી ધર્મક્રિયાઓ વિવિધ રીતે આચરવા છતાં વૃત્તિઓને પલટો અશકય બની જાય છે.” માટે જ કહ્યું છે કે
સમ્યગ દ્રષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રતિપાળ,
અંતરસે ત્યારે રહે, ક્યું ધાવ ખેલાવત બાળ” અર્થા-આજીવિકાના હેતુથી ઘર સંસાર ચલાવવા માટે માનુકુળ પરિસ્થિતિના સર્જનના ઉદ્દેશથી લેકના છોકરાં રમાડનાર કે સાચવનાર ધાવમાતાના અંતરમાં પિતાના કાણુ-કદરૂપા બાળક ઉપર પણ જેવું હોય તેવું હેત લેકેના છોકરા પર ન હય, એમ છતાં વ્યવહારથી પોતાના દીકરા કરતાં વધુ લાગણી દર્શાવવા સાથે લોકોનાં છોકરાં રમાડે.”
આ રીતે વિવેકીને સંસાર–પ્રવૃત્તિઓમાં સંજોગવશ પ્રવવું પડે તે પણ કયારે પ્રભુશાસનની સફળ આરાધના દ્વારા ચારિત્રમોહને ક્ષોપશમ કી સંસારી-બંધનોથી અળગો થઈ પ્રભુ શાસનનું સંયમ પામી શકું ! આવા સુનિર્મળ ભાવે અધ્યવસાયથી અંતરની સુચ્ચ કેળવણું કરી અંતર્દષ્ટિ જાગૃત રાખવા મથે છે.
વળી તે કહ્યું કે “બાંધ્યાં કર્મ તો બધાં ભોગવવાં જ પડે ને? વગેરે” ભઈલા ! અહીંજ જિનશાસનની ખરી મહત્તા છે.
" कृतकर्मक्षयो नास्ति कल्पकाटिशतैर्राय !
अवश्यमेव भोक्तव्य कृत कर्म शुभाशुभम् ॥" આ વાકય નયસાપેક્ષ રીતે ઘટાવવાનું છે
WOWO
WOOS