SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ SAUDŽÚZEMRE નથી. અને આ રીતે ઘણી વખત કિલકારીઓ મારીને પણ આવાં ગીત સાંભળવાની તમન્ના વ્યક્ત કરતે હતે.” આ રીતે એક બાજુ માતૃ-હદય બાળક-હેમચંદની વિવિધ-આચિત ધર્મચેષ્ટાઓ અને અને કાલી-ઘેલી શિશુકાલીન-પ્રવૃત્તિઓથી અનેરો આનંદ અનુભવતું અને બીજી બાજુ ધર્મના રંગમાં રંગાયેલું મગનભાઈનું હૈયું પિતાના ઘરમાં અવતરેલ પૂર્વજન્મની વિશિષ્ટ આરાધનાના બળે આત્મશક્તિના તેજને પ્રભુભક્તિ, ધર્મક્રિયા અને ઉદાત્ત-સંસ્કારોના વલણથી અભિવ્યક્ત કરનાર મહાપુરુષની બાલચેષ્ટાઓ જોઈ અનેરો થનગનાટથી સંકુલ થઈ જતું અને ભાવી ભવ્યભાવનાઓનું ભવન ચણાનું રહેતું. બાલ માનસનું ભવ્ય સંસ્કરણ LE «{ છે.' કુમળા ઝાડને વિશિષ્ટ રીતે ગ્ય કેળવણી દ્વારા યોગ્ય રીતે રૂપ-રંગ-આકૃતિ આદિના વળણમાં વાળી શકાય છે. તેમ વ્યાવહારિક રીતે બાળમાનસની અવિકૃત–શુદ્ધ સ્વચ્છદશાને યથાયોગ્ય ખ્યાલ રાખી દેવ-ગુરૂ અને ધર્મના ભાવાત્મક સંસ્કારને ઉપજાવનાર વિવિધ ઉદાત્ત-નિર્મળ ક્રિયાના આચરણની વ્યવસ્થિત છાપ બાળકના કુમળા મસ્તિષ્ક ઉપર ઉપસાવવાથી વિશિષ્ટ જીવન શોધક સંસ્કારોનું સફળ ઘડતર સહજ- સુલભ બને છે. 'M •
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy