SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ SESUDVZEMRE શ્રી નવકારને જાપ પૂરો થવાની તૈયારીઓ ઘરની સામેના શ્રી અજિતનાથ પ્રભુના દહેરે માન્ડ-કાલીન અષ્ટપ્રકારી પૂજા કરી એકાસણું નિયમિત કરનારા વીરચંદકાકા (ઉંમર ૭૭ વર્ષ)ના રેજના કમપ્રમાણે દ્રવ્યપૂજા પૂરી થયા પછી ચૈત્યવંદન શરૂ કરતાં પૂર્વે પ્રભુ-શાસનની મર્યાદા પ્રમાણે છે કાયના આરંભ-સમારંભના કૂટામાંથી છૂટવા માટેના અપૂર્વ સાધનરૂપ અને શ્રાવકના પ્રધાન કર્તવ્યરૂપ અષ્ટપ્રકારી પૂજારૂપે દ્રવ્યસ્તવની સમાપ્તિના મંગલહર્ષની અભિવ્યક્તિરૂપે કરાતા સત્તાવીસ ઘંટનાદનું શ્રવણ થયું. જેને કે-મગનભાઈએ પોતાના જીવનની મહેચ્છાની પૂર્તિ માં બાલકના ભાવી જીવનની રૂપરેખા સહયોગી બનશે તેની સાક્ષીરૂપ જાણે અતકિતરૂપે યોગાનુયોગ સત્તાવીસની સંખ્યામાં થયેલ ઘટનાદને પ્રશસ્ત શકુનરૂપે વધાવ્યું. આ રીતે શુભસંકલ્પના ઘટનસાથે આકસ્મિોગવાળા જિનમંદિરના ઘંટનાદને મગનભાઈએ પ્રશસ્ત-શકુન તરીકે સ્વીકારી દેવ-ગુરૂને નમસ્કાર કરી સર્વ—વિરતિના પંથે જવાની તમન્નાને પરિપૂર્ણ થવામાં પ્રેરક થવાના મંગલ અભિલાષ સાથે બાલક હેમચંદના ભાવી જીવન વિષે કાશીના પંડિતરાજે લખેલ કાગળને પરબીડિયામાંથી કાઢી વાંચવાની શરૂઆત કરી. જેમાં શરૂઆતમાં પરમાત્માને નમસ્કાર કરી પરમાત્માની અકલ–અગમ લીલાના થોડા શબ્દોમાં ગુણ ગાયેલા કે કાશી જેવા પવિત્ર-ક્ષેત્રમાં જે વસ્તુ પ્રત્યક્ષ જોવા ન મળી તેવી મહા–ઉચ્ચકોટિના પ્રશસ્ત-ગ્રહવાળી જન્મ કુંડળી અચાનક શામળાજીથી ડાકોરની યાત્રાએ જતાં પ્રાસંગિક કારણસર અહીંના રોકાણ દરમ્યાન જોવા મળી, તેમજ ભાવી વિશિષ્ટ–મહાપુરૂષરૂપ, વિરલ લક્ષણસંપન્ન આગવા જાતકના દર્શનનો લાભ મળે. આ બધું અકળ–અગેચરઅચિંત્ય ઈશ્વરલીલાને વરદ પ્રતાપ છે!!! આદિ શ્રદ્ધાભર્યા અભિનંદન પછી જાતકના જન્મ-સમય તથા તે વખતના નક્ષત્ર, કરણ, વેગ આદિની વિશિષ્ટતાને ઉલ્લેખ કરેલ. કુંડલીગત વિશેષતાના અધિકારમાં ખાસ કરીને જણાવેલ કે – આ કુંડલી આપાતતઃ પણ ખૂબ જ ઉત્કૃષ્ટ અને વિરલ-ગ્રહોના બળવાળી છે.” બૃહજજાતકકારના મત પ્રમાણે એક રાશિમાં ચાર ગ્રહો બલવાન હોય તે પ્રત્રજ્યાવૈરાગ્યગ થાય છે, તેમાં પણ ચાર ગ્રહોમાંથી સર્વાધિક પ્રબળ જે ગ્રહ હોય તે ગ્રહચારના આધારે પ્રવજ્યા–ગ વિશિષ્ટ રીતે પ્રબલ થાય.” આ કુંડળીમાં ચંદ્ર સ્વગૃહી હોઈ બીજા ગ્રહોની અપેક્ષાએ વધુ પ્રબલ છે, તેના આધારે તિષ–શાસ્ત્રની મૌલિક પદ્ધતિ પ્રમાણે ગણિત કરતાં એમ જણાય છે કે –“જાતકની શૈરાગ્યભાવના આવેશમુક્ત-સમજણપૂર્વકની અને સૌમ્ય-કદાગ્રહવિનાની હોય.” વળી કર્કને ચંદ્ર સ્વગૃહી બનેલ છે, તેની સાથે સૂર્ય પણ મિત્રરૂપે છે, અને વધુ આશ્ચર્યકારી ઘટના એ છે કે– સૂર્યના મિત્રરૂપે બુધ પણ કેંદ્રમાં–પ્રથમ સ્થાને છે. (આ) TET 2 માં 8
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy