SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ 2014 સવારે શ્રી વાસુપૂજય સ્વામીના દહેરે ઠાઠથી સ્નાત્ર ભણાવી, શાંતિકળશ કરી ચૈત્યવંદન દરમ્યાન “ પ્રભુજી ! સુજ ઝાલા અબ હાથ” “પાર ઉતારા હૈ! જગનાથ !” આદિ સ્તવનની પંક્તિઓ દ્વારા હૃદયને પ્રભુશાસનના સંયમની ભૂમિકાએ સ્થિર કરી, ગુરૂવંદન કરી, પચ્ચક્ખાણુ પારી, વ્યાખ્યાન શ્રવણુ માટે ખાળક હેમચંદને તેડી મગનભાઈ ઉપાશ્રયે ગયા. વ્યાખ્યાન દરમ્યાન શાસન–પ્રભાવક મહાપુરૂષાની આત્મસમ°પણુ અને તિતિક્ષાપૂર્વ ક શાસનનિષ્ઠાની વાતના ઉલ્લેખથી મગનભાઈનું હૈયુ ખૂબ જ પુલકિત થયું અને આવા તરણતારણહાર--શાસનના ચરણે જીવનના સમર્પણુ વિના શ્રાવકજીવનની સફળતા નથી જ ! એ વાતના દૃઢ નિ ય કર્યા. સાથે ખાળકના મસ્તક ઉપર જ્ઞાન-ત ંતુએના પ્રધાન કેન્દ્ર અને અજ્ઞાત (લઘુ) મસ્તિષ્કના પ્રદેશ ઉપર પંપાળવારુપે જમણેા હાથ ફેરવી શ્રી નવકાર-મહામંત્ર ગણી મગનભાઈ એ ખાલકના જીવનમાં શાસનનિષ્ઠા અને તેને લગતા અદ્ભુત સાત્વિક-ગુણા સલ રીતે વિકાસ પામે તેવી શુભ આકાંક્ષા કરી. વ્યાખ્યાન પછી પૂ. મહારાજશ્રી પાસે જ્ઞાનપૂજા પૂર્વક વાસક્ષેપ લઈ ખાલકના જન્માક્ષરથી સૂચિત ફલાદેશ દ્વારા સર્વવિરતિ, જીવનનું લક્ષ્ય સફળ રીતે પાર પડે તેવા શુભભાવ સાથે કાશીના અને સ્થાનિક પંડિતજીએ લખી આપેલ ગણિત પરથી સ્પષ્ટ થતી આગાહીના કાગળા વાંચવાની તમન્ના માત્ર મિના ઉછાળા ન રહે ! પણ નક્કર જીવન-શુદ્ધિનુ અંગ મને તેવે સકલ્પ દૃઢ કર્યાં. માલક-હેમચ`દના હાથે પણ જ્ઞાનપૂજા કરાવી સુષુપ્ત રહેલ શાસન-પ્રભાવકતાના ખીજડા સફળરીતે સક્રિય બને, એવી શુભ આશસાપૂર્વક પૂ. મહારાજશ્રી પાસે ખાલકના મસ્તકે વાસક્ષેપ નંખાવ્યેા. ઘરે આવી સવા અગિયાર વાગે સામાયિકની ઓરડીમાં જઈ એક ખાંધી માળા શ્રી નવકાર મહામંત્રની ગણી શાસનપતિ શ્રી મહાવીર–પરમાત્માના ચિત્ર ઉપર વાસક્ષેપથી નવઅંગે પૂજન કરી પૂ. ગુરૂદેવ શ્રી અવેરસાગરજી મ.ના ચિત્રને સવિનય પગે લાગી સ્વસ્થ-ચિત્ત સાત નવકાર ગણ્યા. પછી સામે પાટલા ઉપર પધરાવેલ, ચાંદીની થાળીમાં રહેલ ખાળક–હેમચંદની જન્મપત્રિકાના ભૂંગળા ઉપર સાત નવકાર ગણી વાસક્ષેપ કર્યાં. ત્યારબાદ કાશીના પંડિતરાજે લખેલ પત્રના પરબીડિયા ઉપર અને સ્થાનિક-પંડિતજીએ લખી આપેલ ટૂક ફળાદેશના પરબીડિયા ઉપર ત્રણ-ત્રણ નવકાર ગણી વાસક્ષેપ કરી સ્વસ્થપણે ક્રીથી એકવીસ નવકાર ગણ્યા. MUHAN TAA.. . ૧૯૫
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy