________________
SESU
ZEMRE
બેલે! તમે બધા તયાર છો? તે મનમાં સૌ ધારી લ્યો અને ચાલે પૂ. મહારાજશ્રી પાસે ! વાસક્ષેપ નંખાવી નવલા-વર્ષને સફલ રીતે ઉજવવારૂપે સંસારથી æવાને સંકલ્પ દ્ધ કરીએ !!!”
મગનભાઈએ ઉપસ્થિત દશ-બાર શ્રાવકના પરિવાર સાથે પૂ. મહારાજશ્રી પાસે જઈ વંદન કરી, જ્ઞાન-પૂજા કરી વાસક્ષેપ લઈ વિનંતિ કરી કે–
સાહેબ ! સંયમ માટે સહુએ મનમાં ધારણું કરી છે, તેને ધારણાભિગ્રહ ઉચ્ચરાવે.”
પૂ. મહારાજશ્રીએ પણ શ્રાવકની વિવેકદર્શિતાની અનુમોદના સાથે ત્રણ નવકાર ગણી ધારણુભિગ્રહ ઉચ્ચરાવી “ પુણ્યવાન ! જે ઉમંગથી અભિગ્રહ લાધે છે, તેનાથી ચઢિયાતા-પરિણામે દેવગુરૂકૃપાએ તમે સો તે અભિગ્રહને પાર પમાડે ! એ મંગલકામના !!!” કહી બધાને વાસક્ષેપ નાંખે. - સીએ તરિ બોલવા સાથે જિનશાસનને જયનાદ કર્યો.
સાંજના પ્રતિક્રમણમાં પૂ. મહારાજશ્રીએ ફરમાવેલ ધના-શાલિભદ્રની “રાજગૃહી નગરી મઝારેજી' થી શરૂ થતી રત્નકંબલના અધિકારવાળી અને તે નિમિત્ત ધનાશાલિભદ્રજીને થયેલ વૈરાગ્ય વિગેરેના પ્રસંગવાળી સુંદર સજઝાય સાંભળી મગનભાઈ એવા ભાવુક થઈ ગયા કે—
મગધ-દેશના મહારાજાને દુર્લભ, ઉત્તમ-કોટિના વિષયભોગની ઉત્કૃષ્ટ-સામગ્રી વચ્ચે વસેલા પણ પુણ્યાત્મા શાલિભદ્રજી પ્રભુ—શાસનની આવી સુંદર-આરાધના કરી શક્યા ! હે કે હતભાગી ........... પુરૂષાર્થહીન...બસ ! હવે તે બાલક હેમચંદનું ઘડતર એવુ આદર્શ કરું! જેથી ગળથુથીથી જ સંયમ અને પ્રભુશાસન તેના હૈયામાં સચેટ જામી જાય, તે તેના સહકારથી મારો પણ વિસ્તાર થઈ જાય”—આદિ વિચારધારામાં ખેવાઈ ગયેલા મગનભાઈની આંખોમાં કારતક સુદિ એકમ છતાં શ્રાવણ-ભાદરે વરસી ગયે. ૪પુરાાતિ ના શ્રવણ દરમ્યાન મગનભાઈને બાલક-હેમચંદની પુણ્યાઈના ભરોસે ધરપત થઈ.
ઘરે ગયા પછી પૂ. ઝવેરસાગરજી મ. ના તાત્વિક અને વૈરાગ્ય-ભરપૂર પત્રોનું વાંચન કરવા સાથે બાળક હેમચંદના ભાવી-જીવનની આગાહીવાળે પંડિતજીને ફળાદેશ વાંચનની જિજ્ઞાસા પૂરી થવા માટે પંડિતજીને આપેલ સમય આવતીકાલે સવારે ૧૧-૩૭ થી ૪૧ ને હવે ખૂબ નજીક છે, એમ સંતોષ માન્ય.
. હકીકતમાં જીવનને સર્વવિરતિના પંથે સફળ વળાંક બાળક--હેમચંદની મહાપુરૂષ : તરીકેની કારકીર્દિના બળે થઈ જાય તે ઘણું સારું! આદિ ભાવનાઓના ચિંતન સાથે સંથારા
રસી ભણાવી સૂઈ ગયા.