SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી સમેતશિખરજી યૂરોપિયને માટે બંગલા બાંધવાના સરકારના હુકમ સામે પડકાર, ચારૂપતીર્થના દેરાસરમાં શિવલિંગની ઉત્થાપના વખતે થયેલ તોફાન, મુનિશ્રી મહોદયસાગરજીની દીક્ષા વખતે સુધારકેનું આંદોલન, મુનિશ્રી અભયસાગરજીની દીક્ષા વખતે રાધનપુર-નવાબને હુકમ, પાલીતાણા બારોટોનું તોફાન વિગેરે ઘણા પ્રસંગ છે. i વડોદરાના બાલદીક્ષાના કાયદા વખતે તેમણે લીધેલી નેતાગીરી, દેવદ્રવ્યની ચર્ચા વખતે તેમણે દ્રવ્યની રક્ષા માટે ઉપાડેલ ઝુંબેશ, દિગંબર, તેરાપંથ અને સ્થાનકવાસીઓ સાથે શાસ્ત્રાર્થ કરી શાસનનું કરેલું સંરક્ષણ, નાનામાં નાના સાધુની પણ માંદગી વખતે સ્વયં વૈયાવરચમાં જોડાવાનો ઉમંગ અને તેના ઠેલા-માગું' સુધી પોતે પરહેવવા જતાં જરાપણ સકેચ નહીં વગેરેથી પૂજ્ય શ્રી અજોડ હતા. આ આગમાદય-સમિતિ અને દેવચંદ લાલભાઈ પુરતકેદ્ધાર કુંડ વિગેરે સંસ્થાઓ સ્થાપી આગમસાહિત્યનું એકલે હાથે કરેલ મુદ્રણ અને આગમાની વાંચના આપી આગમ અભ્યાસ પ્રત્યે સાધુ-સંસ્થાને ઓતપ્રત કરનાર આ આચાર્ય ભગવંત આગમાના અઠંગ અભ્યાસ સાથે પૂર્વાચાર્યો કૃત વિપુલ-શાસ્ત્રોના પરિશીલન ફરનાર ચિતક હતા. ' વિ. સં. ૧૯૯૦ના મુનિ–સમેલન વખતે તેમણે લીધેલ પ્રધાન ભાગ અને પાલીતાણા તથા સુરતમાં સ્થાપેલ આગમમદિરે તેમની દીર્ઘદ્રષ્ટિ અને આયતિના વિચારક તરીકે પુરવાર કરે છે. ગમે તેવા હરીફ, પોતાની જાતને તેમના ડાયરાધી તરીકે જાહેર કરનાર અને વર્તનાર પ્રત્યે પણ સદા હિત ચિંતક પાલીતાણામાં ચર્ચા વખત થાકબંધ પુસ્તકો અને તેના રથળા પોતાના વિરોધી હરીફને પણ બતાવનાર અસાધારણ સોજીત્યથી ભરેલા શાસન પ્રભાવક આચાર્ય હતા. પ. પૂ. આ. શ્રી વિજય નેમિસૂરીશ્વરજી, પ. પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી, પ. પૂ. આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી, પ પૂ. આ. શ્રી વિજયવલભસૂરીશ્વર વગેરે તે વખતના વિદ્યમાન બધા–આચાર્યોની ચાહના અને અહોભાવ મેળવનાર દરિયાવદીલ આ આચાર્ય ભગવંત હતા.. પ. પૂ. આગમાદ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગર સૂરિના પ્રથમ દર્શન મે' પાટણ માં મારા વિદ્યાર્થી-જીવનમાં કરેલ આ. સમય વિ. સં. ૧૯૮૨ આસપાસ હશે, તે વખતે પ. પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ કેકાના પાડાની પાસેના ઉપાશ્રયમાં બિરાજતા હતા. પાટણ સશે બંગાલ-મારવાડ તરફ જૈનશાસનની અપૂર્વ-પ્રભાવના કરી પધારનાર ગમેદ્ધારક આચાર્યદેવનું ભવ્ય યાદગાર સામૈયું કર્યું હતું અને તેઓ પ. પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મ. ની સાથે ઉતર્યા હતા. - મને યાદ છે કે તેમનું વ્યાખ્યાન રાજ બાર વાગ્યા સુધી ચાલતું, વિષય શો હતો ? તે યાદ નથી પણ “ગાજરની પીપુડી વાગી તો વગાડી, નહિતર કરડી ખાધી.” આ વાકય દ્વારાઆરાધના સગવડિક નહિ પણ ઓતપ્રોતભાવપૂર્વક થવી જોઈએ ! તે ઉપદેશનું તાત્પર્યું હતું. આ - થોડા જ દિવસ બાદ પંજાબ તરફ શાસનની પ્રભાવના કરી પધારનાર પ. પૂ. આ. શ્રી ૧૯]
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy