________________
વિજ્યવલભસૂરીશ્વરજી મહારાજનું પણ તેવું જ ભવ્ય-યાદગાર સામૈયું શ્રી પાટણસંઘે કર્યું. અને તેઓ પૂજ્યશ્રી સાગરના ઉપાશ્રયે બિરાજતા સંઘસ્થવિર, પ્રવર્તક મુનિશ્રી કાન્તિવિજયજી મ. અને મુનિશ્રી હંસવિજયજી મ. આદિ સાથે ઉતર્યા.
|/ બીજા જ દિવસે પ. પૂ. આ. વિજયવલભસૂરીશ્વરજી મ. અને પ. પૂ. આ. શ્રી આનંદસાગરસુરીશ્વરજી મહારાજનું સુભગ-મિલન થયું. બે કલાક સુધી પરસ્પર વાર્તાલાપ થયે.
તે વખતન સંઘના વિશિષ્ટ–ચાર્યોને પરસ્પર પ્રેમ અને મિલન નિહાલવાનો શુભ પ્રસંગ એ જીવનને અણુ માલ લહાવો હતો ! ! ! ને આ મારી સત્તર–વર્ષની ઉંમરે મારી ઉપર શાસનના પરમ-સંરક્ષક મહા સમર્થ વિદ્વાન તેજસ્વી આચાર્ય તરીકે તેમની પ્રતિભા મારા વિદ્યાગુરુવર્ય પંડિંત પ્રભુદાસભાઈ અને શ્રી પંડિત વીરચંદભાઈ મેઘજી દ્વારા પડી હતી.
તે પ્રતિભા અમદાવાદમાં ભગુભાઈના વંડામાં સાહિત્ય પ્રદર્શન અને ૧૯૯૦ના મુનિ સ'મેલન માં ખૂબ જ તાજી અને પ્રત્યક્ષ અંકિત થઈ અને વિક્રમ સંવત ૧૯૯૬ પછી તો હું તેમના ખૂબ જ ગાઢ સંપર્કમાં આવ્યા,
. આ સંપર્કમાં ૩૫ થી ૪૦ પ્રસગે એવા છે કે તે જાણનાર અને સાંભળનાર નતમસ્તક બની તેમના જીવન પ્રત્યે અહોભાવ દર્શાવ્યા વિના રહી શકે તેમ નથી.
' આ બધા પ્રસંગોની સામાન્ય રૂપરેખા મેં શાસ્ત્રાભ્યાસી ખૂબ જ સરલ, પરમ ચારિત્રઉપાસક પ. પૂ. ૫, શ્રી અભયસાગરજી ગણિવર્ય મ. સા. બે વર્ષ પહેલાં અમારા વિવનંદિકર ઉપાશ્રયે પધારેલા, ત્યારે તેઓને આપેલ અને તે પ્રસંગા યથાસ્થાને આ ગ્રંથની ભવિષ્યમાં બહાર પાડનાર ભાગમાં ગોઠવવાના છે. આ ભાગમાં મારે સંક્ષિપ્ત જ લખવાનું હોવાથી હું આ સંબંધમાં ભવિષ્યમાં બહાર પાડનાર ભાગમાં લખવાનું રાખી વિરમું છું.. IN
| પરમ શ્રદ્ધેય, શાસન-પ્રભાવક, શાસન-સંરક્ષક, પરમપૂજ્ય આગમે દ્ધારક આચાર્ય દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજને સંબધ પરિચય અને નિકટ નિવાસ આ મારા જીવનને અનુમોદનીય યાદગાર અને જીવનના લહાવાના પ્રસંગ છે એને હું મારા જીવનની એક સુકૃતની ઉચ્ચકરણી માનું છું.
- પ. પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજે પૂ. આચાર્ય ભગવંતનું સવિસ્તર આદરણીય જીવન ચરિત્ર લખવાનો વિચાર કર્યો અને તે અંગે તેમણે ખૂબ-ખૂબ પુરુષાર્થ કરી અનેક સામગ્રી એકઠી કરી, તેમાં મને પણ તેઓશ્રીના પરિચયના નાતે યાદ કર્યો તે મારું પરમ ભાગ્ય છે.
ઈચ્છું છું કે આ ચરિત્રનો બીજો ભાગ સત્વર બહાર પડે અને તે પુણ્ય પુરુષના ગુણાનુવાદે તેમના દ્વારા ફરી કરવાનો જીવનમાં લાભ મલે, તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના વિ. સં. ૨૦૩૩ મહા સુદ ૧૧ સોમવાર ૪, સિદ્ધાર્ટી સોસાયટી,
|
મકતલાલ ઝવેરચંદ ગાંધી પાલડી, અમદાવાદ-૭,
-: નિવેદક :II
૨૦]