SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ મોટા વાદવિવાદ કરનારના ઘમંડનું નિકંદન વિગેરે શાસનની રક્ષા અને પ્રભાવના કરનાર ગુણોનું દર્શન આપણને આગમાદ્દારક-આચાર્યદેવના જીવનમાં થાય છે. જમીનના પેટાળના જુદા જુદા થરની માફક કાળને પ્રવાહ અજબ છે. ગિરનાર ઉપરની મેટી ઊંડી –વાવના થરો જોઇએ તો અમુક થર સુધી કાંકરા, બીજા થરમાં પથરા, ત્રીજા થરમાં ચકચકતા આરસના ટુકડા જેવા થર, તેમ કાળનો પ્રવાહ પણ ભિન્ન-ભિન્ન હોય છે. ઘણી વખત આપણને પૂર્વ-પેઢી કરતાં પછીની પેઢી વધુ બુદ્ધિશાળી, ઉદાર અને દીર્ધદષ્ટિવાળી જણાય છે, અને તેની પછીની પેઢી એથી પણ ઉત્તરોત્તર વિકાસ સાધતી જોવા મળે છે. અને ત્યાર પછીની કેટલીક પેઢીઓ ઉત્તરોત્તર હૃાસ પામતી વિકાસમાં આગળ વધવાને બદલે પાછળ પડતી દેખાય છે. ઉત્તરોત્તર-હૂાસ અને ઉત્તરોત્તર-પ્રગતિરૂપ અવસર્પિણી અને ઉત્સર્પિણી રૂપ કાળચક્ર વીસ કટાકોટી સાગરોપમનું હોય છે, પણ ૧૦૦-૨૦૦ વર્ષના ગાળામાં આવા નાના ઉત્સર્પિણી-અવસપિણી રૂપ કાળ-સ્વરૂપને લીધે પ્રગતિ અને હાસને પ્રભાવ જગત ઉપર પડયા જ કરતા હોય છે. | જૈન શાસનમાં પણ આવા ઉન્નતિ અને અવનતિના અનેક આરોહ-અવરોહો આવતા રહ્યા છે. તેની સાક્ષીરૂપે આપણો જ્ઞાનભંડારોમાં સચવાઈ રહેલ ગ્રંથી સાક્ષી આપે છે. પંદરમાં, સોળમા અને સત્તરમા સૈકામાં લખાયેલા ગ્રંથાના અક્ષરના મરેડા અને સાહિત્ય તેની ઉન્નતિનું સૂચક છે. અને ત્યારપછી અઢારમા અને ઓગણીસમા સૈકામાં રચાયેલ ટમાં, અક્ષરોના મરોડો વિગેરે પ્રગતિના "અવરોધક બળા પસર્યાનું આપણને સૂચિત કર્યા વિના રહેતા નથી. છે કે | દરેક ક્ષેત્રે આમ સે કે- સંકે થતા પરિવર્તનમાં રાજ્ય અને કુદરત મુખ્ય ભાગ ભજવતી હોય છે. જૈનશાસનમાં અને તેમાં પણ ખાસ કરીને આપણા તપાગચ્છમાં પણ સકે-બે સકે કઈ એવી વિશિષ્ટ પ્રભાવશાળી વ્યકિત સાંપડતી હોય છે જે થયેલા-હાસની ઉણપ પૂરી કરી જૈનશાસનને પ્રભાવશાળી બનાવે છે અને વર્ષો સુધી તેની પ્રતિભાનું તેજ શાસનને પ્રકાશિત કરે છે. પૂ. આ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી, ચૌદશે ચુમ્માલીસ ગ્રંથ પ્રણેતા પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી, તાકિક-શિરોમણિ કલિકાળ સર્વજ્ઞ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી, પ્રતિભા સંપન્ન પુ, આ. શ્રી સોમસુંદરસૂરિજી, અકબર–પ્રતિબંધક પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી વગેરે, કે જેઓના દિવંગત થયા પછી તેમની પ્રતિભાને તેજપુંજ સો-બસે વર્ષ સુધી જૈનશાસનને ઉજજવલ બનાવતો રહ્યો છે. ૧૬]
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy