________________
રિલી),000ની
પણ અજબ વાત છે કે જમનાબહેન ને ઠેઠ નવમા મહિને જાય છે, છતાં હજી પૂજા કરે છે, સામાયિક–પ્રતિક્રમણ કરવા જાય છે, આઠમ-ચૌદશ ઉપવાસ-આંબિલ આદિ કરે છે, શરીરમાં કંઈ લાનિ–ફીકાશ કે થાક વગેરે વતત નથી ! શું કારણ હશે?
ગર્ભના બદલે કંઈ નવું તૂત તે પિટમાં નહીં થયું હોય !”
આદિ–આદિ શંકા-કુશંકાઓના વમળમાં જમનાબહેનને તથા મગનભાઈને ફસાવવા અજ્ઞાન-મૂઢ સગાંવહાલાં મથતાં, પણ ભગત તરીકે વિખ્યાત અને ધર્મક્રિયાથી સુગ્ય વિવેક બુદ્ધિના પગથારે ઉભેલ મગનભાઈ અને ગર્ભસ્થ જીવના પુણ્ય-પ્રતાપે ઉદાત્ત સાત્ત્વિક પ્રકૃતિનાં બની ગયેલ જમનાબહેન એવા ઠંડા મિજાજથી. કહેતા કે-“શા માટે ચિંતા કરે છે? આપણું જેવા કર્મ હશે–તેવું બનશે ! ધર્મની ક્રિયાઓની ભૂમિકા પર આવ્યા પછી શીદને ચિંતા કરવી ! શાસનદેવ સહુ સારું કરશે”
નવમા મહિનાના કારણે પ્રસવકાળ નજીક જાણી મગનભાઈએ કુલ-વૃદ્ધાઓની અને કરેલ બુદ્ધિની સૂતિકાકર્મ-કરાવનારી પરિચારિકાઓની ખાનગી સલાહ લીધેલી, તેઓએ કહેલ કે “કેક પુણ્યવાન જીવ ગર્ભમાં આવે તે તેની માતાને દુન્યવી રિવાજ પ્રમાણે શારીરિક અસરે કે ફેરફાર ન થાય, તેવું પણ જાણવા મળ્યું છે.”
આ વાત જાણી લોકેની યતા તદ્વા વાતથી મગનભાઈના માનસમાં ઘેરાયેલું, વાદળ વિખરાઈ ગયું અને ધર્મપ્રભાવે સહુ સારૂં થશે એ ભાવ સુદઢ થયે.
*
*
पाशिनु सबका
૧૫૩
બી. જી. ૨૦