________________
S
UNTEURS
દેશી ઘરગથુ વારસાગત ઘરડાં–ડોશીમાના વૈદાની પ્રામાણિક રીત પ્રમાણે ગ્ય સારવારમાં દત્તચિત્ત બન્યા.
પિતાના રોજિંદા ધાર્મિક-જીવનમાં કિયાઓની આચરણમાં પસાર થતા પાંચથી-છ કલાક અને વ્યાપારાદિમાં જતા ત્રણથી ચાર કલાકને ગૌણ કરી ઉત્તમ–મહાસ્વપ્નથી સૂચિત ગર્ભસ્થ મહાપુરૂષની મહત્તાને ધ્યાનમાં રાખી સમયસૂચકતા વાપરી ઘરે સામાયિક કરી ધાર્મિક વાંચન કરતા.
અવસરે જમનાબહેનની ધર્મશ્રવણની ઈચ્છા પૂરી કરતા.
વ્યાપારાદિ કામ પણ ગૌણ બનાવેલ, ઘરે જ બધું પતાવી દેતા, તેમ છતાં ગર્ભસ્થ મહાપુરૂષના પ્રતાપે પુણ્યના ઉદયાનુસાર દુકાન ન ખેલવા છતાં ઘરબેઠાં મગનભાઈને ધાર્યા કરતાં વધુ પ્રાપ્તિ થવા પામેલ.
આ રીતે અષાડવદના દિવસે પસાર થઈ રહ્યા.
શરીરશાસ્ત્ર અને પ્રસૂતિશાસ્ત્રની દષ્ટિએ નવમા મહિનાના કારણે જમનાબહેનની પ્રકૃતિ . સામાન્ય રીતે જેવી અને જેટલી કથળવી જોઈએ, તેટલી ગર્ભસ્થ મહાપુરૂષના પુણ્યપ્રતાપે તેમજ ગર્ભસ્થ બાળકની ઉદાત્ત પ્રકૃતિથી થવા પામેલ ધર્મ-મરશે અને તેની ક્રિયાઓની આચરણાઓના બળે બગડેલ નહીં.
આ વાત સંબંધી, સગા-વહાલાં, આડશીપાડોશીઓના ધ્યાન પર આવેલ, તેથી પણ જમનાબહેનનું ગર્ભસ્થ બાળકની અનુમાનિત મહાપુરુષની જનેતા તરીકેનું સંભવિત સન્માન બધાના હૈયામાં વસી રહ્યું.
વ્યવહારૂદષ્ટિએ બધાને આશ્ચર્ય થતું, તેમાં પણ હૈયામાં ધર્મના સંસ્કાર ઉડે સુધી નહીં વસેલાના મુખથી એવું પણ બલાતું કે “હું ! નવ મહિને અને પુરા દિવસ થવા આવ્યા તેય પાંચમા-છઠ્ઠા મહિનામાં પણ લક્ષણ કે શરીરમાં થતા ફેરફારો ઉબકા, અરૂચિ, કટિફૂલ આદિ પ્રસૂતિકાળ સાથે સંકળાયેલાં દરદો નથી! ભારે કહેવાય !
કંઈ ગોટાળો તે નહીં હોય ને! ગર્ભ જામ નહીં થઈ ગયું હોય ને?”
આમ તો આપણે જોઈએ છીએ કે–પ્રથમના બે મહિનાની તે કંઈ સમજણ ન પડે, પણ ત્રીજે મહિને ગર્ભસ્થ–બાળકના શરીરનું બંધારણ ગોઠવાઈ જાય છે, ત્યારથી મોટે ભાગે માસિક ધર્મ બંધ થવું, મહેમાં પાછું વળવું, અન્નની રૂચિને ઘટાડે, ઉલટી જેવી મુંઝવણ, ખટાશવાળા પદાર્થો તરફની રૂચિ આદિ વરતાવવા લાગે છે.
ચેાથે મહિને શરીરમાં ભારેપણું અનુભવાય છે, પાંચમે મહિને શરીરની કૃશતા થવા માંડે છે, છટ્ઠ મહિને શરીરના રૂપરંગમાં ઝંખાશ આવવા લાગે છે. અને સાતમે મહિને તે ગર્ભિણીબાઈ કંઈ કામકાજ ન કરે તે પણ અત્યંત થાક અનુભવે છે.
_
_