________________
૧૪]
ૐ નહીં અને PGDD
પ્રેરણા
‘જીવન ચરિત્ર' અદ્દભુત પ્રેરણા છે
આગમાદ્ધારકશ્રીજીનું આ વીસમી સદીમાં જૈન શાસનમાં થએલા પ્રભાવક-પુરુષોમાં ‘આગમાદ્વારકજી'નું નામ ગણના પાત્ર છે, એટલું જ નહિ પણ અપેક્ષાએ અનેખું છે. તેઓશ્રીજીનું પુણ્ય નામ તે। શ્રી આનંદસાગર સૂરીશ્વરજી છે. શ્રીસાગરાનન્દસૂરિજી–નામે પણ તેઓશ્રીજીની વિલક્ષણ વિખ્યાતિ થયેલી છે, એમ છતાં “આગમોદ્ધારક” એ શબ્દ તેઓશ્રીજીને માટે સ્વતંત્ર અને અનન્ય રહ્યો છે.
પ્રસ્તુત પુસ્તકમાં આગમોદ્ધારકશ્રીજીના જીવન-પ્રસંગે જુદી રીતે રજુ થયા છે. એટલે તેઓશ્રીજીના પ્રકટ થએલા જીવન અંગેના જુદા-જુદા પુસ્તકો હાવા છતાં—આ પુસ્તક કોઇ વધારો માત્ર કરે છે એવું નથી, પણ સમીક્ષકને સ્પષ્ટ લાગશે કે આવા પુસ્તકની જરૂર હતી, ને છે.
આ પુસ્તકના લેખક–આ અંગે યથાયોગ્ય પૂરી યોગ્યતા ધરાવે છે. તેને પેાતાની જવાબદારીને ખ્યાલ છે. આ પ્રકારના ચરિત્રા લખવામાં ચિત્તવૃત્તિનું સંયમન ખૂબ રાખવું પડે છે, અને જો એ ન રાખવામાં આવે તા ચરિત્ર વાસ્તવ–વાતથી વધુ પડતું દૂર ચાલ્યું જાય છે. ચિત્રમાં સામાન્ય રીતે રંગ પૂરીને ઊઠાવદાર બનાવવું એ જુદી વાત છે અને તદ્ન ન હાય એવું ભ્રમ જન્માવે એવું ચીતરવું એ જુદી વાત છે.
પંન્યાસી અભયસાગરજી ગણી આ ચિત્રણ કરવામાં કેટલા સફળ થયા છે? તે ચિત્રણ દૂર નથી એટલે તે જોનારને જોવા માટે માર્ગ ખુલ્લા કરી વિરમવું પ્રાસંગિક છે.
શ્રીનેમિસૂરિ–જ્ઞાનશાળા
પાંજરાપાળ, અમદાવાદ.
વિજય ધર્મધુરન્ધસૂરિ
સં. ૨૦૩૩ મહાવદી ૨ વિ
THE GREAT ISYAM 455 4
Sche
* ! m*rKs51914