________________
(
1
)
' ''.... :-
ઉલાસપૂર્વક સૂચવ્યા મુજબ શ્રમની દરકાર કર્યા વિના અનેક નાની મોટી પ્રવૃત્તિઓ કરવા દ્વારા જીવનચરિત્રના આલેખનનું કાર્ય ખૂબજ સુગમ બનાવેલ.
આ બધાની ગુરૂભકિત અને અંતરંગ-ધર્મસ્નેહનું પ્રમોદ ભાવના બળે સ્મરણ આ પ્રસંગે થયા વિના રહેતું નથી.
વિવિધ જાણકાર-આપ્ત પુરૂષો પાસેથી મૌખિક રીતે તેમજ પત્રવ્યવહારથી તથા જુના અનેક-પુસ્તકમાંથી ઈતિહાસ-ગ્રંથોમાંથી વિવેક પૂર્વક તારવણી કરી ખૂબજ ચોકસાઈ સાથે સંકલિત કરેલા જીવન-પ્રસંગેની વિષયાનુરૂપ ગોઠવણ દ્વારા આ જીવનગાથા તૈયાર કરી છે.
આમાં છવાસ્થતાવશ થયેલ આલેખન દેષ કે હકીકત છેષ થયો હોય, અગર પ્રભુ-શાસનની લોકોત્તર–મર્યાદાનું પ્રમાદવશ ખંડન થવા પામ્યું હોય તો બધા બદલ ખૂબ જ નિખાલસ હેયે સુધારવાની તત્પરતા સાથે સકલ શ્રીસંઘ સમક્ષ હાર્દિક રીતે મિચ્છામિ દુહ માંગું છું.
વીરનિ સં. ૨૦૩૩ વિક્રમ સં. ૨૦૩૩ માહ વદ ૧૪ ગુરૂવાર જૈનમટ સેસાયટી, જૈન ઉપાશ્રય, સરખેજ રોડ, અમદાવાદ-૭,
શ્રમણસંઘસેવક પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગર ગણિવરસેવક
મુનિ અભયસાગર
મ
૧૩]