SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ જિત છે. 2020 થોડાક સમય પછી ધનગિરિજીએ સંયમ લેવા માટે તૈયારી કરવા માંડી, સુનંદાએ સાહજિક મેહવશ “મારૂં શું?” મને કોના ભરોસે મૂકો છે? આવા શબ્દબાણથી ધનગિરિજીના વીરાગ્ય-કવચને ભેદી નાખ્યું. લાચારીથી ધનગિરિજી સંસારમાં વિરક્ત ભાવે રહ્યા. ભાવી–સંયોગવશે આવા પુણ્યશાળી ધર્માત્મા દંપતિની વિશિષ્ટ ધર્મભાવના મંગળમય વાતાવરણમાં દેવનિમાંથી ઉચ્ચકોટિને આરાધક એક તિર્યકર્જુભકદેવ અનંત લબ્લિનિધાન પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીજી મ. ના શ્રીમુખથી અષ્ટાપદ મહાતીર્થે પુંડરીકકંડરીકનું અધ્યયન સાંભળી વિષય-વિરાગની દઢતર કેળવણી કરી સુનંદાની કુક્ષિમાં અવતર્યો. થોડાક સમય પછી ધનગિરિજીએ સમય પારખી સુનંદાની સંમતિ મેળવી આયસિંહગિરિ સૂરિમ. પાસે જઈ ઉમંગભેર સંયમ સ્વીકાર્યું. આ રીતે ધનગિરિ જેવા વૈરાગી અને સુનંદા જેવી વિવેકસંપન્ન આદર્શ સ્ત્રી એમ બંનેના દાંપત્ય જીવનમાં ઉચ્ચતમ સંસ્કારોના કારણે વિષયવાસનાની તીવ્રતા પસવા ન પામી, પરંતુ વાસનાના આવેગના ઉછાળાને મર્યાદિતરૂપને સંતોષનારી સંયમી-લગ્નજીવનની આદર્શ-પદ્ધતિના પરિણામે ઇતિહાસમાં અજોડ, બાળરોગી, મહાન શાસનપ્રભાવક, વજ. સ્વામીજી મ. જેવા નરરત્તનને જન્મ થયે.” - શાસ્ત્ર અને ઇતિહાસમાં નોંધાયેલ આ ઘટના વીસમી સદીના પ્રથમ ચરણના ઉત્તરાર્ધમાં તીવ્ર–શૈરાગ્ય-સંપન્ન મગનભાઈને જીવનના અદ્દભુત પ્રસંગથી ફરી તાજી થઈને આજે પણ અનેક ભાવિકજનેને વા કહ્યા ધમહા નિબ૪” ની કહેતીની યથાર્થતા પ્રતીત કરાવે છે. વૈરાગ્યમાં તરબોળ બની રહેલ મગનભાઈ હકીકતમાં આત્મભાવમાં લીન બનવા માટે લગ્નની ખટપટને દૂર કરવા વેવિશાળ કરવા આવનારાઓને પોતાની દીક્ષા માટેની પૂર્ણ તૈયારી દર્શાવી હતાશ કરી વિલે મઢે પાછા ફેરવતા. પણ આખરે કુટુંબીજના વિવિધ પ્રયત્નોમાં છેલ્લે પ્રયત્ન ભાવી–નિયેગે સફળ થવા પામે, જાણે પૂચરિત્રનાયકશ્રી જેવા નરરત્નની શાસન-સંઘની ખૂટતી કડી જોડવા માટે કુદરતે ગોઠવણ કરી હોય, તેમ આજે પરિણામ ઉપરથી લાગે છે. કપડવંજની પુણ્યભૂમિની મંગળ-અસર તળે ઉપજેલી વિવિધ ધાર્મિક-ભાવનાઓથી સંપન શેઠ શ્રી નથુભાઈ અંદરજી (પૂ. ચરિત્રનાયકશ્રીના દાદા)એ લૌકિક રીતે સાહસ કર્યું કે ભલે! મગનભાઈ દીક્ષા લે! પણ મારે તે મારી દીકરી આપવી જ છે, આ હઠાગ્રહ કરી કુટુંબી-જનના સહકારથી પરાણે પણ મગનભાઈને ઘોડે ચઢાવી લગ્નગ્રંથિથી જોડી સંસારના કારાગારમાં કેદ કર્યા.
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy