________________
SESTRAŽIVELIRE
માતા-પિતાએ પિતાના પનોતા પુત્રને સંસારી મોહમાયામાં ફસાવવા બળાત્કારે પણ લગ્ન કરી દેવાનું વિચાર્યું.
એટલે ધનગિરિજીએ બીજે કંઈ ઉપાય ન દેખતાં સગપણ કરવા આવનાર ભાવી ધશુરપક્ષના પરિવારને સ્પષ્ટપણે કહેતા કે–“હું તુર્તામાં જ દીક્ષા લેવાનો છું, સંસારની ઉપાધિઓથી છુટવા મથી રહ્યો છું, તેથી તમે જોઈ વિચારીને કામ કરશે, દીક્ષા લેવાની મારી પૂર્ણ તૈયારી છે. ટૂંક સમયમાં તે પંથે જવાનો અફર નિર્ણય છે.”
આ સાંભળી વેવિશાળ કરવા આવનારાઓ વિચારમાં પડી જતા અને પિતાની દીકરીને આવા વૈરાગી અને દીક્ષા લેવા તૈયાર બેઠેલને આપવા ના-મરજી બતાવી પોતાની મેળે પાછા જતા.
પરંતુ તે જ ગામમાં ધર્મનિષ્ઠ સંસ્કારી ધનપાલ શેઠ હતા, તેમની પુત્રી સુનંદા વિનય–વિવેકસંપન્ન, જિનશાસનની આરાધનામાં માનનારી હતી, તે સ્વયં ચારિત્રના માર્ગે જવા ઈચ્છતી, પણ માતા-પિતાના મહના કારણે તુર્તામાં લઈ શકે તેમ ન હતું
વળી ભવિષ્યમાં કઈ એ પતિ મળી જાય કે જે સંયમધર્મ માટે અનુકૂળ ન હોય તે વધુ ફસામણ થાય, તેથી સુનંદાએ પોતાના પિતાને સામેથી કહેવડાવ્યું કે “આજ સુધી સગપણ માટે આપના તરફથી થતા પ્રયત્ન મેં અવગણ્યા હતા, પણ મને જે તમારે પરણાવવી જ હોય તે ધનગિરિજી સાથે સંબંધ બાંધે, હું સ્વેચ્છાએ તેમને સ્વીકારીશ.”
આવું કહેવડાવવાથી ધનપાલશેઠ હર્ષિત બની તુર્ત શ્રીફળ, કંકુ, ચોખા લઈ ધનગિરિજીના માતા-પિતા પાસે પહોંચ્યા, ધનગિરિજી સમક્ષ વાત મુકી એટલે ધનગિરિજીએ રાબેતા મુજબ લગ્ન પછી તુર્તા દીક્ષાની વાત સ્પષ્ટ જણાવી.
ધનપાલ શેઠે કહ્યું કે મને તેમાં કશો વાંધો નથી, કેમકે મારી દીકરી બીજા કોઈને પરણવા જ તૈયાર નથી, તમારા માટે તેણે સામેથી કહેવડાવ્યું છે, માટે તમારે જે કરવું હોય તે કરશો, પણ એકવાર અમને જવાબદારીમાંથી મુક્ત કરે !
હવે ધનગિરિજી ગૂંચમાં પડ્યા, સંસારીઓની મોહની ઘેલછા ઉતારનાર અમેઘ યુક્તિ પણ અહીં નાકામયાબ નિવડી, એટલે ભાવીયેગ પ્રબળ ધારી કમને પણ શ્રીફળ સ્વીકાર્યું.
બંને પક્ષ તરફથી ઉમંગભેર તૈયારીઓ થઈ, શુભ મુહૂર્ત ધનગિરિજીનાં સુનંદા સાથે લગ્ન થયાં.
સુનંદા પણ શ્રાવિકા હતી, ધનગિરિજી જેવા ત્યાગભાવનામાં રંગાયેલ આદર્શ–પતિને મેળવી પોતાની જાતને ધન્ય માનવા લાગી.