________________
VAŠTÚDEN 28
આમ ભાવીની પ્રબળતા મુજબ જમનાબહેન સાથે મગનભાઈનાં લગ્ન થવા પામ્યાં,
કુદરતની અકળ કળાના આધારે મગનભાઈની ધાર્મિક ભાવનામાં ઓટ ન આવે તે જમનાબહેનને વેગ ગેઠવાઈ ગયે.
છત્રીશના આંકની જેમ જે ગૃહલક્ષ્મી-પત્નીને વૈચારિક-સહયોગ ન મળવા પામ્યા હતા તે મગનભાઈની જબરી ધાર્મિક-કસોટી થઈ જાત.
એટલે ભાવીમાં ચરિત્રનાયકશ્રીની માતા બનવાનું સૌભાગ્ય લખાવી લાવેલ પુણ્યવંતી જમનાબહેને સ્વાભાવિકરીતે ધર્મનિષ્ઠ અને મગનભગત તરીકે પ્રસિદ્ધ થયેલ પોતાના સ્વામીનાથની ધર્મભાવનાને જરા પણ આંચ ન આવે તેમ પતિવ્રતા-ધર્મની મર્યાદા પ્રમાણે પિતાનું જીવન કેળવી લીધું.
શ્રાવક તરીકેના આદર્શ—સંસ્કારેની જે ખેટ પિતાના સ્વામીનાથની દષ્ટિએ હતી, તેને ઓળખી સૌભાગ્યવંતા જમનાબહેને મગનભાઈને ભાવદયા-પૂર્ણ સહયોગથી ઝડપથી પૂર્ણ કરવા સક્રિય પ્રયત્ન કર્યો.
પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રી જેવા વશમી સદીના ઉજજવળ ઝળહળતા તેજસ્વી સિતારાને જન્મ આપી શકવાની યેગ્યતા જમનાબહેને ધર્મના વિવિધ અનુષ્ઠાન, ત્યાગ–તપની સક્રિય સાધના, તત્વજ્ઞાનને ટૂંકે પણ નકકર અભ્યાસ, વીતરાગ પ્રભુની-નિષ્ઠાપૂર્વકની ભક્તિ આદિ સદ્દગુણો દ્વારા મેળવી લીધી.
જેથી મગનભાઈ પણું ચારિત્રમોહનીયના પ્રબળ ઉદયથી સુયોગ્ય ધાર્મિક વિચારોને અપનાવી ઉચ્ચ ધાર્મિક-જીવનના પંથે પૂર્ણ સહકાર આપી શકનારી આદર્શ પત્નીને શ્રાવિકાના રૂપમાં મેળવી સંસારમાં ફસાવા છતાં યત્કિંચિત્ સંતેષની લાગણી અનુભવી શક્યા.
ગૃહસ્થ-જીવનની કેટલીક મહત્ત્વની જવાબદારીઓ માથે હેવા છતાં ધાર્મિક સંસ્કારોને કેન્દ્રમાં રાખી મગનભાઈ દેવદર્શન, જિનપૂજા, ગુરૂવંદન, વીતરાગની વાણીનું શ્રવણ, વ્રત -નિયમ, પચ્ચકખાણ, પર્વ-દિનેમાં પૌષધ આદિમાં ઉમળકાભેર પ્રવર્તતા, જેથી લેકજીભે તેઓશ્રીની ઓળખાણ “મગનભગત” તરીકેની વધુ દઢ થવા પામી.
જમનાબહેન પણ સ્વામીનાથની ભાવનાને અનુસરવા સાથે આત્મહિતની સાધના થતી રહેવાના ધ્યેયથી દરેક ધાર્મિક પ્રવૃત્તિઓમાં યથાશક્તિ ઉમંગથી ભાગ લેતાં, ઉપરાંત ઘરે સમય મળે ત્યારે સામાયિક કરી આસપાસના પડોશીઓને ભેગા કરી મહાપુરૂષનાં ચરિત્રો, રાસ, સ્તવન–સજઝાનું વાંચન-શ્રવણ કરી-કરવી પરનિંદા-કુથલી આદિથી અજ્ઞાની જીવેને બચાવવાનું આદર્શ કાર્ય કરતાં.
M
UCHOS