SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ DUÄVÄTTEURS પરિણામે મૂળ ચાર વર્ણાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર રૂપે હતા, તેના પેટાભેદ તરીકે અનેક જ્ઞાતિએ સેંકડાની સંખ્યામાં થઈ. તેમાં વણિક્ જ્ઞાતિની શાખાએ મુખ્ય રીતે ૮૪ થઇ કે જેની નાની-પેટાજ્ઞાતિઓ ગણતાં લગભગ ૧૧૫ની સંખ્યા સામાજિક-પરંપરાના વિદ્વાનેા જણાવે છે. મુખ્ય ૮૪ વણિક જ્ઞાતિઓની નામાવલી સુલતાન મહમ્મદ (ઈ.સ ૧૪૬૪થી ૧૫૧૧ સુધી)ના રાજ્ય સમયે અજ્ઞાત નામધેય વિદ્વાને રચેલ કીર્તિલેખ ગ્રંથમાં સળંગ મળે છે. તેમાં નીમાજ્ઞાતિનુ નામ પ૭મું આ ઉપરાંત મહાજનવ`શ-મુકતાવલી, મહાજન-વણિક-ગાત્રોત્પત્તિપ્રબંધ, ગુજરાતસવ સંગ્રહ, વહીવ‘ચાઓની વંશાવલી આદિ ઐતિહાસિક ગ્રન્થામાં પણ ૮૪ વણિકજ્ઞાતિની નામાવલીમાં નીમાજ્ઞાતિનુ નામ સાદર ઉલ્લેખાયેલું છે. ૧ નીમા જ્ઞાતિની ઉત્પત્તિ નીમા વણિક મહાજનનું ઉત્પત્તિસ્થાન જુના ઇડર રાજ્યમાં (હાલ સાબરકાંઠા જિલ્લામાં) માડાસાની પાસે શામળાજી તીર્થ (દેવ ગદાધર રાયનું પ્રાચીન સ્થલ) પાસેના રૂદ્રપુરી (અપરનામ કપગ્રામમાં જે હાલ ખડેર હાલત)માં છે.” આ વાત સ્કંદપુરાણુ (અધ્યાય ૨૨-૨૫)માં વિત રૂદ્રગયાપાખ્યાન તેમજ ગદાધરમાહાત્મ્ય (અ. ૧૯, શ્લાક ૪૭-૪૮)માં નોંધાયેલ છે. વધુમાં ત્યાં એવી નોંધ મળે છે કે “લ્પગ્રામ નજીક ઔદુ બરૠષિના આશ્રમમાં અયેાધ્યાના સત્યવાદી રાજા હરિશ્ચન્દ્રે પેાતાના કુલગુરૂ વશિષ્ઠઋષિની સલાહથી તે વખતના સર્વાં ઋષિમુનિઓ કરતાં વિશિષ્ટ તપસ્વી ઔદુંબરૠષિના સાન્નિધ્યે રાજસૂય યજ્ઞ કરવાના સંકલ્પ કર્યાં, તે પ્રમાણે અયાખ્યાથી ચતુર'ગસેના પુરાહિતા, કમ કાંડી બ્રાહ્મણા, અનેક વેપારીઓ, ધાર્મિક પ્રજાજના વગેરેને લઇ પ્રાચીન રૂદ્રપુરી (અપરનામ કલ્પગ્રામ-હાલનું શામળાજીતી) પાસેના મહાતપસ્વી ઔદુ ખરૠષિના આશ્રમે રાજા હરિશ્ચન્દ્ર શુભ મુહૂર્તે આવી પહોંચ્યા. ૧અમદાવાદમાં ભરાયેલ બીજી સાહિત્યપરિષદમાં જૈન વિદ્વાન અમરચંદ પરમારે જૈનામાં પ્રચલિત જ્ઞાતિનું દશ ન” નિબંધ વિદ્વાનો સમક્ષ વાંચી સંભળાવેલ. આ નિબંધ જૈનકોન્ફરન્સ હેરલ્ડના તે વખતના અંકમાં છપાયેલ છે. તથા આબુ પર્યંત ઉપર લૂણવસહીની પ્રતિષ્ઠા પ્રસંગે મહામંત્રી વસ્તુપાલ તેજપાલે વિ.સં ૧૨૭૫ લગભગમાં માઢું સંધ જમણુ કરેલ. ઉપરના બન્ને સ્થળે વિષ્ણુકની ૮૪ જ્ઞાતિઓના નામેા જણાવતાં નીમાણિકના પણ સાદર ઉલ્લેખ કરેલ છે. આઈ- ગ . માં ૧૪ મા આ ૨ ક
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy