SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ આ આbetZ6ZL88 આજ પ્રમાણે શ્રી અષ્ટાપદજીના નૂતન જિનાલયથી પૂર્વ દિશામાં કંસારાના મેટા ચકલા સુધી અનેક રંગબેરંગી ચાંદનીઓ તથા નાનામોટા મંડપ વગેરેથી ધર્મપ્રેમી જનતાનું ધ્યાન ધર્મ મહોત્સવ તરફ સ્વાભાવિક રીતે કેન્દ્રિત થઈ જાય તેવું દશ્ય હતું. આજ પ્રમાણે નૂતન જિનાલયમાં પધરાવવા માટે પાલીતાણુથી લાવવામાં આવેલ જિનબિોને જ્યાં પણું રાખલ વિરાજમાન કરેલા-તે શ્રી શાંતિનાથ જિનાલયની આગળ અત્યંત મનમેહક આકર્ષક મંડપ બંધાવરાવેલ, જ્યાં દિવસ અને રાત પ્રભુભકિતના અનેક કાર્યક્રમો થતા.૧ ધર્મનગરી રૂપ શ્રી ક૫ડવંજની ધર્મશભામાં અનેરો વધારો કરનાર દેવવિમાન તુલ્ય અદ્દભુત શિલ્પ-સમૃદ્ધ શ્રી અષ્ટાપદ મહાતીર્થના સ્મારક રૂ૫ આ આ નૂતન દહેરાસર ખરેખર ધાર્મિક ની ભાવનાને શાસ્ત્રાભિમુખ બનાવવાનું અનેરૂં સાધન બન્યું હતું. આ દહેરાસરના નિર્માણથી કપડવંજ શહેરની ધર્મભાવનાના સંસ્કારોને અત્યન્ત સમૃદ્ધ બનાવવામાં શ્રી અમૃત શેઠાણીએ અદ્વિતીય ફાળે ઘાવેલ છે. શેઠાણીએ-જિન ભકિતના આદર્શને મુખ્ય રાખીને પંચાશક આદિ ગ્રંથમાં બતાવેલ મર્યાદાઓનું વ્યવસ્થિત પાલન કરવા સાથે શિલ્પકલા અને વાસ્તુ કલાની દષ્ટિએ બેનમૂન ભવ્ય કેતરણીવાળા સ્તો, મંડપ, શિખરે, દેવકુલિકાઓ, તેમજ રાજમાર્ગ ઉપર અત્યન્ત ઝીણી કારીગરીવાળી કુલવેલ-કમને-આદિની મનોહર કતરણીવાળા અનેક નાનામોટા ઝરૂખાઓ અને તેની આજુબાજુ પ્રભુ-ભક્તિમાં લીન બનવાના દશ્યવાળી અનેક અપ્સરાઓની સુંદર ગોઠવણી કરાવેલ, કે જેનું વર્ણન ગમે તેવા વિદ્વાન શાસ્ત્રજ્ઞ પણ સંપૂર્ણ રીતે કરી શકવા પિતાની અશક્તિ પ્રદશિત કરતા.૨ આવા અદ્ભુત જિનાલયના નિર્માણ પાછળ શ્રી અમૃત શેઠાણીએ “રામર્ચ ઘમ' ન્યાય પ્રમાણે શિલ્પકલાવિશારદ, વયેવૃદ્ધ-અનુભવી અનેક સોમપુરાઓને બોલાવી સુંદર નકશાઓ બનાવડાવી સોમપુરાઓના સૂચન પ્રમાણે તાત્કાલિક ઉત્તમ જાતિના પાષાણની ગોઠવણ કરી ૧ શ્રી પ્રતિષ્ઠા મહોત્સવ લઘુરાસ (ઢાળ, ગાથા ૪૧થી ૪૪)માં આ સંબંધી ઉલ્લેખ મળે છે. ૨ શ્રી પ્રતિષ્ઠા મહેસવ લઘુરાસ (ઢાળ ગાથા ૧ થી ૧૮)માં કવિએ લેકભાષામાં સુંદર રીતે આ સંબંધી વર્ણન કરેલ, વધુમાં દહેરાસરની ભવ્ય રચનાને ટુંક પરિચય એટલે કે ગભારો, રંગમંડપ, પ્રદક્ષિણ, શણગારકી, મુખમંડપ તેમજ પ્રેક્ષામંડપ આદિને પણ પરિચય આપ્યો છે, આપત્તિકાળે ઉપયોગમાં આવી શકે તેવા ભૂમિહની વાત પણ કવિએ રજુ કરી છે. વળી દહેરાસરમાં દિવાલે ઉપર અને રંગમંડપના ઘુમટમાં અનેક મનોહર રંગીન-ચિત્રોની પણ નોંધ લીધી છે. - - - - - - - : x0
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy