SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારા ૫૦૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. = ======નનનનનન ઝનન જ પરિણામે અજ્ઞાનતા પ્રાપ્ત કરાવનાર, મહા મિથ્યાત્વના કારણભૂત, અનેક પ્રકારના કર્મસમૂહને એકઠા કરી લેનાર અને આત્માને અધમ સ્થિતિમાં રાખનાર મહરાજ રાજેશ્વરના આ પાટવી પુત્રો અનેક મરણનાં કારણ છે અને ભયંકર સંસારાટવીમાં ચેતનજીને ભૂલા પાડનાર ચીન શાહુકારે છે. જે પ્રાણુઓના જોરથી વજબંધ પણ છૂટી જાય છે તે આના નેહતંતુને–કાચા સૂત્રના તાંતણાને તેડી શક્તા નથી, સંસારમાંથી ઉંચા આવવાની વૃત્તિ કઈ વખત થઈ આવે તેપણું અનુભવાતાં અનેક દુઃખોની ખાણરૂપ સંસારદશામાં પાછા પડતા છતાં પણ તેઓ તેમાં રાચે માચે છે અને અનેક પ્રકારનાં સ્થળ અને માનસિક દુખે તથા ઉપાધિઓ રાજીખુશીથી વહારી લે છે. આવી દશામાં વર્તતા એટલે મેટ કમ બંધ કરે છે કે એને લઈને અનંત સંસાર વધારી મૂકે છે, જીવને વિષમ બનાવી મૂકે છે અને સંસારમાંથી ઉંચા આવવાને બદલે તેમાં ઉંડા ઉંડા ઉતરતા જાય છે. અમુક સ્થિતિ જોગવવાને આધાર કર્મબંધપર રહે છે અને તેને આધાર ખાસ કરીને અમુક સાંસારિક કાર્યને અંગે તાદાપણું કેટલું થાય તે પર રહે છે, એ તાદામ્યપણું અનુકૂળ અથવા પ્રતિકૂળપણે રાગ અને દ્વેષ અનુક્રમે કરાવે છે, અને તેથી મહાનિષ્ફર પ્રચુર કર્મસંઘાત વહેરી લેવાનું પ્રબળ નિમિત્ત-કારણ રાગદ્વેષ બને છે. ઉપાધ્યાયજી યશોવિજયજી તેટલા માટે એક જગપર કહે છે કે “રગે પડીઆ તે નર ખતારે, નરય નિદ મહા દુઃખજુત્તારે” એવીજ રીતે દ્વેષને અંગે તેઓએ બે હકીકત બહુ યાદ કરવા લાયક કહી છે. ચરણકરણ ગુણેની સુંદર ચિત્રશાળા દ્વેષધમથી કાળી થઈ જાય છે અને યોગનું પ્રથમ અંગ અદ્વેષ–ષને અભાવ છે. જેઓ દ્વેષભાવનો ત્યાગ કરે છે તે ગુણાનુરાગી થાય છે અને જ્યાં ગુણને અભાવ જુએ છે ત્યાં સમચિત્ત થઈ જાય છે. આવી માધ્યમ્ય વૃત્તિ જ્યારે અંતઃકરણપૂર્વક વિચારણા સાથે પ્રાપ્ત થઈ જાય ત્યારે અનેક કર્મમળ દૂર થઈ જાય, અનેક કમદેષ પ્રાપ્ત કરવાના માર્ગો બંધ થઈ જાય અને તેથી છેવટે ચેતનજી પર કર્મને જે છે એ છો થતો જવાથી અને નવીન કમભાર આવતે અટકવાથી તે ક્રમે ક્રમે કર્મથી મુક્ત થઈ અમર થઈ જાય છે. આટલા માટે અત્રે કહ્યું છે કે આ જગતને બંધન કરનાર રાગ અને દ્વેષ છે તેને તે અમે નાશ કરીશું. જ્યારે ચેતન પિતાની વિશુદ્ધ સ્થિતિ જાગ્રત કરવાના નિર્ણય પર હોય ત્યાર પછી તેને પિતાની સંસારદશાનાં કારણે શોધવાની ઈચ્છા થાય એ ઉચિત છે અને તેને અંગે તે એકદમ આ રાગદ્વેષને શેાધી કાઢે અને તેને નાશ કરવાના નિર્ણય પર આવી જાય છે પણ તેનું કર્તવ્ય છે. આ જીવને સંસારમાં રખડાવનાર અને તેને મોક્ષ થવા ન દેનાર રાગદ્વેષ છૂટી જાય ત્યારે શત્રુ મિત્ર
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy