SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. અપત્યમમત્વમોચનાધિકાર ===== === === ====== ========= રને પરસ્પર સંબંધ અનંત વખત થયેલ હોવાથી અને ઉપકારને બદલે “વાળવાને સંદેહ હેવાથી હે જીવ! તું પુત્રપુગ્યાદિપર હવાળી થા માં.” * વિશેષાથ–પુત્રપુત્ર્યાદિના સ્નેહમાં આસક્ત ન થવાનાં ત્રણ કારણો બતાવે છે. (૧) દુઃખમાંથી રક્ષણ કરવાને તેઓ શક્તિમાન નથી. કર્મતિ પાદિય થવાથી આપત્તિ આવે છે તેમાંથી રક્ષણ કરવાને કઈ પણ શક્તિમાન હોય તે તે આત્મશક્તિ જ છે, બીજાનું કાંઈ પણ ચાલતું નથી. કર્મસ્વરૂપ સમજતા હેય તેઓને આ દલીલનું વાસ્તવિકપણું સમજાઈ જશે. (૨) પ્રાણીઓને પરસ્પર અનેક સંબંધ થાય છે. દરેક પ્રાણી માતા, પિતા, સ્ત્રી, પુત્રપણે અનંતવાર થાય છે. [સમતાદ્વારમાં આ સંબધી સંપૂર્ણ વિવેચન થઈ ગયું છે;] પણ અપત્યપર આસક્ત ન થવાનું આ એક મજબૂત કારણ છે તેથી અત્ર તે તરફ ધ્યાન ખેંચવામાં આવે છે. (૩) ઉપકારનો બદલો વાળવાને સંદેહ છે. અનેક પુત્રે તે પિતાની પહેલાં જ દુનિયા ત્યજી જાય છે અને કેટલાએક કુપુત્ર નીવડે છે. આવા પુત્ર પિતાને જરાપણ ઉપયોગી થતા નથી, એટલું જ નહિ પણ શેક અને ચિંતાનું કારણ થઈ પડે છે; કણકે પિતાના પિતા શ્રેણીકના શા હાલ કર્યા હતા તે પ્રસિદ્ધ વાત છે. વૃદ્ધાવસ્થામાં ડોસાને કેવી રીતે હડધૂત કરે છે તે અનુભવીઓએ જોયું છે. વારસો લેવાની લાલચે કેટલાએક પુત્ર કેવાં કેવાં કૃત્ય કરે છે તે પ્રસિદ્ધ વાત છે. જગતમાં સુપુત્ર નથી એમ કહેવાની મતલબ નથી. રામ અને અભયકુમાર જેવા પણ છે, પણ પિતાને પુત્ર કે નીવડશે તે વિમે છે અને તે વીમાની ખાતર પિતાનું આત્મસાધન ન કરવું એ અને ચિત છે. આ ત્રણ કારણથી અપત્યસ્નેહબદ્ધ થવું નહિ. બીજા કાર્યને છેડે થયેલી શંકાનું અત્ર નિવારણ થઈ જાય છે. પુત્રથી ઘેલા થયેલાને પુત્ર શત્રુ છે. રવિવાદિત. पुत्रः स्यादिति दुःखितः सति सुते तस्यामये दुःखित- । स्तदुःखादिकमार्जने तदनये तन्मूर्खतादुःखितः । जातश्चेत्सगुणोऽथ तन्मृतिभयं तस्मिन्मृते दुःखितः (હુ.. ) पुत्रव्याजमुपागतो रिपुरयं मा कस्यचिज्जायताम् ॥५॥ * આવા પુત્ર થોડા હોય છે, તેથી જ ગ્રંથકર્તા “સંદેહ' શબ્દ મૂકે છે; જ્યારે પ્રથમ મની બે બાબતમાં નિર્ણય બતાવે છે.
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy