________________
પરિચોદ.
માહ-અધિકાર.
થતાં તેને સારરૂપ બધી વિદ્યાઓ ભણાવી. સુવર્ણ દાનથી પ્રસરતી તમારી પ્ર સિદ્ધિ સાંભળીને દરિદ્રતાથી દૂભાયેલે હું આ મારા પુત્રને સાથે લઈને અહીં આવ્યો છું.”
આ પ્રમાણે વેદસાગરે જ્યારે પિતાને વૃત્તાંત કહો, ત્યારે મનમાં બહુ ખેદ લાવીને રાજાના નિગ્રહથી માંડીને કામલક્ષમીએ પણ પિતાને બધે અહેવાલ તેને કહો. પૂર્વગ્નેહના વશે હજી પણ તે તેની સાથે જવાની ઈચ્છાવાળી હોવાથી કેટલાંક કિંમતી રત્નો આપીને તે એકાંતમાં આ પ્રમાણે તેને કહેવા લાગી:–“હે પ્રિય! તમારા ઈષ્ટ સંકેતસ્થાને બીજા રાજ્યમાં અત્યારે રત્નસહિત આ પુત્રને મોકલી દ્યો, પછી આપણે પણ ત્યાં જઈશું. અને આજથી સાતમે દિવસે રાત્રે સ્મશાનમાં આવેલા ચંડીગૃહમાં હું કઈરીતે પણ આવીશ માટે તમારે પણ ત્યાં અવશ્ય આવવું.” પછી તેના કહેવા પ્રમાણે તેણે પુત્રને ઈષ્ટ સ્થાને મોકલી દીધો અને સંકેતની રાતે ચંડીગૃહમાં આવીને તે સુઈ ગયો. કામલક્ષમી પૂર્તતાથી સાતમે દિવસે રાજાને વિનવવા લાગી:–“હે સ્વામિન્ ! એક દિવસે તમને માથામાં ભયંકર પીડા થઈ હતી, તે તમને યાદ છે? તે વખતે ઘણાં મંત્ર, તંત્ર અને ઔષધે કર્યા છતાં તે શાંત ન થવાથી હું અન્ન, પાણીને ત્યાગ કરીને બહુજ વ્યાકુળ થઈ ગઈ હતી. પછી તેની શાંતિને માટે પ્રસિદ્ધ મહિમાવાળી અને સ્મશાનમાં રહેવાવાળી ચંડીદેવીની મેં આ પ્રમાણે માનતા માની હતી–“હે માત ! જે રાજાની શિરોવ્યથા શાંત થઈ જશે, તો મારી સાથે રાજા ત્યાં આવીને અમુક દિવસે રાત્રે તમારી પૂજા કરશે.” તે આપણે બંને આજ રાત્રે ચંડીનું અર્ચન કરવાને ત્યાં જઈએ. તેની આજ્ઞાને વશવતી હોવાથી રાજાએ તરતજ તેનું કહ્યું માની લીધું. પછી સાંયકાળે રાજા ચંડીની પૂજા કરવાને કામલક્ષ્મીની સાથે અશ્વપર બેસીને અને પૂજા સામગ્રી લઈને સ્મશાન ભણી ચાલ્યો. સાયથી ન ભેદી શકાય એ અંધકાર ચારે તરફ પ્રસયે છતે નગરની બહાર નીકળીને માર્ગે ચાલતાં ક્યાંક શિયાળીયા શબ્દ કરી રહ્યા હતા, ક્યાંક રાક્ષસેને કોલાહલ મચી રહ્યો હતો, ક્યાંક ભયંકર ઉત થતું હતું, ક્યાંક ઘુવડ પક્ષીઓ બેઠેલા હતા, ક્યાંક શબ સંસ્કાર કરવા આવેલા લોકે પ્રેતથી ત્રાસ પામતા હતા, ક્યાંક ડાકિની અને શાકિનીઓ મોટેથી રાસડા લેતી હતી, ક્યાંક ચપલ પિશાચો અટ્ટહાસ્ય કરી રહ્યા હતા, કયાંક કાપાલિક લોકો સારા માણસોનાં પવિત્ર મસ્તકે ગ્રહણ કરતા હતા, ચારે બાજુથી પ્રસરતા દુર્ગધના પૂરથી નાક પૂરાઈ જતું હતું અને ઉપરાઉપરી પડેલી ખોપરીઓથી જ્યાં ગમન પણ અટકી પડતું હતું એવું ભયંકર સ્મશાન નિર્ભય એવા રાજાના જોવામાં આવ્યું. કામલક્ષમીને તે મુગ્ધ સમજીને કહેવા