SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચછેદ આરોગ્ય-અધિકાર.' પ્રત્યેક વાતાવરણમાં સર્વોત્તમ વેશ ભજવે. હવશ થઈ ગબડી પડવું નહિ. પિતાનું સર્વોત્તમ લક્ષ્ય મૂકવું નહિ. મહાપુરૂષની પ્રવૃત્તિ તૃષ્ણા, રાગ, દ્વેગ, મેહ, ભય વગેરે વિકારોથી મલિન હોતી નથી. તેથી તેમની પ્રવૃત્તિમાં અન. યાસે સ્વાથ્ય, તેજ, બળ વગેરે દષ્ટિગોચર થાય છે. ખાઈ પીને શરીરને લડું જેવું બનાવવું એવો આશય જેમને હોય છે તેમનું શરીર દેવીબળથી પિષાનું નથી. તે શરીરપર વર્ય પ્રકટતું નથી. પણ જેમની પ્રવૃત્તિમાં નિર્મળતાને સૂર્ય દેદીપ્યમાન હોય છે તેમની જ વાણીમાં અગાધ સામર્થ્ય હોય છે તેમની જ રીતિ નીતિ સ કેઇને અનુકરણ કરવા જેવી લાગે છે. વય વધે તેમ ચારિ. ચની નિર્દોષતા સિદ્ધ કરો. શરીર ધ્રુજતું હોય તે વાંચવા લખવાના કે મને બળ વધારવાના યોને શિથિલ પાડો. અને શરીરમાં ચોગ્ય ગરમી પ્રકટાવેનાર યન્ત્રજ સે. અમુક સમયે મિષ્ટાન્ન મળનાર છે માટે ખૂબ કસરત કરીએ એવા વિચાર નજ સે, પણ મિષ્ટાન્નમાંથી જેટલું પચે તેટલું જ સ્વીકારે. અનીતિના અંશને પ્રત્યેક વર્તનમાંથી દૂર રાખો અને તમે યેગ્યવિચારબળથી યુક્ત રહેશો. સાચી નિરામયતા સર્વ અંશમાં સાધો. અંતઃકરણમાં વ્યાધિ હોય છે તે બહાર શરીરમાં પણ પ્રકટે છે. અનેક રોગોનું મૂળ તપાસીશું તો તેમનાં કારણે મલિન અંત:કરણનાં કાર્યો છે. શરીરમાં અંત:કરણ છે તે મહાન પ્રેરક સત્તા છે. એ અંતઃકરણમાં કઈ ગુપ્ત અલૌકિક સત્તા વસે છે. તે સીધા, સાદા, સરળ, દૈવતવાળા, યથાર્થ માર્ગોએ વહેવાને આપણને પ્રબોધે છે. એને જે આપણે એ બેધને અનુસરી વિવિધ પુરૂષાર્થ કરીએ, વિવિધ કટીઓમાંથી પસાર થઈએ અને અંતરના ઉંડાણમાંથી સંતેષ પ્રકટે એવા સાચા સંગીન પ્રયત્નો જમાવીએ તો કુદરતમાંથી આપણા હિતનાં અગમ્ય સ્વરૂપ પ્રકટ થાય છે, અને જેમના અંત:કરણમાં નિર્મળ ચારિત્ર્યને સધાવનાર સંસ્કારે છે તેઓ આ જગતના મહાન નિયતા છે. તેઓ સર્વશે નિરામય, દુઃખથી અતીત, સુખસ્વરૂપ બને છે. નિરૂત્સાહ, નિરાશા, મંદતા, જડતા, આલસ્ય, પ્રમાદ, કાપટય વગેરે જેમના આચરણમાં જણાતાં નથી તેમનામાં સત્વબળ ઉભરાય છે. તેઓ સત્વપૂર્ણ બને છે, અને જે પ્રકૃતિદર્ય તેમને મળે છે તે યથાર્થ હોય છે. મનુષ્ય પ્રકૃતિને નીરોગ સાધવી. એ નીરગતા તત્વવિદુની દષ્ટિએ જેવી હોવી ઘટે તેવી સિદ્ધ કરે. મુખપર કાંતિ જોઈએ. તેજ દેદીપ્યમાન જોઈએ, વર્ણ ગેર કે પ્રતાપ પાડનાર જોઈએ, વાણીમાં બળ લેવું જોઈએ, સેંકડો મનુષ્યને ઉન્નતિ પથ પર ચઢાવવાનું સામર્થ્ય જોઈએ, જે શરીરને જોતાં બીજા મનુષ્ય વંદન કરવા પ્રેરાય એવું તેજસ્વી ના ઓજસ્વી શરીર જોઈએ, અશ્રાંત પરિશ્રમ કરવાનું સામર્થ્ય શરીરમાં હોવું જોઈએ, તે દઢ હોવું જોઈએ. આ
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy