________________
ર૩ર વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ ============ઝનનનનનનકજનનનનન હિમ્મતબાહાદૂર પ્રધાન હતા તે રીસાઈ ગયું છે.” આ વાર્તા જાસુદ મારફતે શહના શત્રુ રાજાઓએ જાણી, તેથી તે તકનો લાભ લેઈ દિલ્લી પતિનું રાજ્ય હસ્ત કરવા મસલત ચલાવી અને તે શત્રુરાજાઓ પૈકી તુર્કસ્થાનને શાહ આગેવાની ધરાવતો હતો તેણે વિચાર્યું કે “બિરબલ હતો ત્યાં સુધી દિલ્લો ઉપર હલ્લો કોઈ કરી જય મેળવી શકે એ આશા ફોકટ હતી અને હવે સહેલાઈથી તે જ ઉપર હાથનું બળ અજમાવી રાજ્ય હાથ કરી લઈએ તેપણ કશો વાંધો નથી; તોપણ હજુ જાણવું જરૂરનું છે કે દિલીપતિના આગળ હવે બીજો કોઈ બુદ્ધિમાન પ્રધાન છે કે નહિ? જે કઈ તેવોજ બુદ્ધિમાનું પ્રધાન વિદ્યમાન હોય અગર છુપી રીતે બિરબલ સલાહ આપતા હોય તે જીત મેળવવી મુશ્કેલ થઈ પડે માટે પ્રથમ તેની ખાત્રી કરી લેવા યુક્તિ રચવી જ જોઈએ.” એમ વિચારી એક પત્ર લખ્યો અને તેમાં લખ્યું કે “આ પત્ર વાંચી એક ઘડો ભરીને અકકલ ચાર માસની અંદર મોકલાવી દેવી અને જે ન મોકલો તે લઢાઈ માટે તૈયાર થજે.” આ પ્રમાણે પત્રમાં હેતુ લખી સાંઢણીસ્વાર હલકારા સાથે વિદાય કર્યો. કેટલીક મુદતે તે દિલ્લી શહેરે આવી પહોચે અને અકબરશાહને તે પત્ર આપ્યો. શાહે વાંચી વિચાર્યું કે “બિરબલના અભાવથી શત્રુરાજે મારા પ્રત્યે ત્રાપ મારવા ટમટમી રહ્યાં છે, બિરબલને પત્તો લાગતો નથી, તેમજ આ કાગળનો ઉત્તર અથવા માગણી પાર પાડવા એનાશિવાય બીજો કોઈ શક્તિમાન નથી! હવે કરવું શું! મારી મૂર્ખાઈનાં ફળ મનેજ મળ્યાં! “હાથનાં કર્યા હૈયે વાગે” એમાં બીજાનો શો દોષ? * પાણી પીને ઘર પુછયું? એવો ઘાટ મેં કર્યો છે! રીસાવી કહાડો અને હવે શોધી કહાડો એ કેટલી બધી ભૂલ? પરંતુ તેમ કર્યાસિવાય સિદ્ધિજ નથી. સબળ શત્રુઓ ડાળા ઘુરકાવી રહ્યા છે, માટે એક યુક્તિ રચી બિરબલને શોધી કહાડું.” એમ વિચારી પોતાના રાજ્યના દરેક ગામે મુખી પટેલઉપર હુકમ લખી મોકલ્યો કે “જે અમારા માણસ સાથે બેકડે મોકલ્યો છે તેને દરરોજ પાંચશેર દાણો તથા ઘાસ વગેરેને ખોરાક આપવો છતાં આજે જેટલા વજનથી બેકડો તમારી તરફ રવાના કરવામાં આવ્યું છે તેટલાજ વજનવાળો એક માસની આખર તારીખે રહેવો જોઈએ; જે વધારે છે વજન નમાં થશે તે દેહાંત ( શુળી) ની શિક્ષા દેવામાં આવશે.” એવી યુક્તિવાળે હકમ ગામેગામ લખી અકેક બોકડો અને અકેક તેના રક્ષણમાટે માણસ મોકલાવી દીધું.
જે ગામમાં બિરબલ છુપી રીતે રહેતો હતો તે ગામમાં પણ તે હુકમ આવી પહોએ તેથી ગામના લેકે બહુજ ફિકરમાં પડ્યા. બેકડાને પુષ્કળ