SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. માતુશ્રી માણેકબાઈ તે માતુશ્રીમતિ કર્યું આભારી હૃદય માતૃવત્સલતાની પ્રેમમય લાગણીથી વિમુખ હશે? ખરેખર! જનનીને પ્રેમ કંઈક ઓર જ હોય છે. શ. વક્તાની “મા નમીએ તને' વાળી કવિતા માતૃપ્રેમથી ભરપૂર છે. રા. નાનાલાલ કવિની “સમલકી ગીતા' ની અર્પણ પત્રિકા પિતૃભાવથી ઉભરાતી છે. સદગત કલાપીનું “અસ્વસ્થ ગૃહિણી” કાવ્ય મૃત્યુશધ્યામાં સૂતેલ માતાની પુત્રવત્સલતાથી થતી ચિંતાદર્શક લાગણીથી ભરપૂર છે. એક કવિ “તમ પિતા સદા હાલ રાખશે, પણ ન માતની ખેટ ભાંગશે! “નહિ નહિ મલે મા ગઈ ફરી, “જગતમાં ની મા બને નહિ. પણ ન છાતીએ કેઈની તમે, “ રઝળતાં હવે એકલાં રહે.” . રા. વક્તા જેવા નવયુવક વિદ્વાનને વિવિધ પ્રકારની જનસેવાર્થે યોગ્ય બનાવી માતૃભૂમિને સેંપી માતુશ્રી માણેકબાઈ તે પ્રતિના ત્રણમાંથી મુક્ત થયાં છે. રા. વક્તાના વિચારે બાધક હાઈ હમેશાં મનનીય હોય છે. આ સાથે ભારતવાસીઓને એક સંદેશે' તેમણે પાઠવ્યું છે. તે વાંચતાં વાચકને સહેજે પણ સમજાઈ જાય તેવું છે કે ધર્મના યથાર્થ સ્વરૂપને બોધ અને અન્ય વિષય પરત્વે સાર એકજ લખાણમાં આપી શકયા છે. - ઈ. સ. ૧૯૧૪ માં “ભાઈબંધ અને નવરંગ' પત્ર લખે છે કે –“રા. વક્તા દરેક વિષયનું સારું જ્ઞાન ધરાવે છે. નીતિ, ધર્મ અને એમના હૃદયની વિશુદ્ધિની છાપ એમનાં લખાણ વાંચતાં પ્રથમ વાંચનારના હદયઉપર પણ અનાયાસે એની મેળે પડી જાય છે. તેમના ચારિત્રને માટે એમના મિત્ર અને માનનારાઓમાં ઘણું ઉંચું મત છે. કેટલીએક રખડી પડતી સંસ્થાઓને તે નિ:સ્વાર્થ મિત્રે વખતે વખત કિંમતી મદદ ગુપ્તપણે આપી છે. ઈ. ઈ. ઈ.” ઈ. સ. ૧૯૧૩ ના રાજ્યમિત્રના અકમાં જોવાય છે કે –“રા. - ક્તાનાં લખાણ અને પ્રવૃત્તિ અવલેતાં અમને અનુમાન થાય છે કે તે વિદ્વાનનું ભાવી ઘણું ઉજ્જવલ અને જનસમાજને અતિ ઉપયોગી થઈ પડશે.” ઈ. સ. ૧૨૮ ના ઓકટોબરની ૧૮ મી તારીખના “સાંજ વર્તમાનમાં
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy