SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ વ્યાખ્યાનશ્યાહિત્યસંગ્રહ-ભાગ ૩ ને. દયા A મ NR A A S ધિ NINE A E NI માત્ર સ્વ. માતુશ્રી માણેકબાઈ પણ – (૦)-- પ્રાતઃસ્મરણીય બાઈ તે આપણા જાણીતા વિદ્વાન રા. રતનલાલ વક્તાનાં માતુશ્રી હતાં. તેમને જન્મ કાઠિવાડમાં ભાવનગરમાં એક ખાનદાન કુટુંબમાં વિક્રમ સંવત ૧૯૩૨ માં થયે હતે. છે . બાળપણથી જ નૈતિક તેમજ ધાર્મિક જ્ઞાનના ઉચ્ચ ને વિરલ સંસ્કારોએ તેમનાં મગજ અને હૃદયપટપર સજ્જડ સ્થાન લીધેલું. પાછળથી એ કુદરતી જ્ઞાનને વારસો પુત્રરત્ન રા. રતનલાલ વક્તાને મળે. “મારે પુત્ર સેવાધર્મ તે જીવનમંત્ર કે મહામંત્ર સમજનાર કેમ ન થાય? ” એવા દિવ્ય ભાવે ભાઈ વક્તાના હૃદયપટપર ચિતરવા માતુશ્રીએ વીશ વરસસુધી સતત પ્રયત્ન આદર્યું હતું. એ સત્યપૂર્ણ માતુશ્રીના પ્રાચીન સંસ્કારોએ રા. વક્તાને સાદાઈ અને નીતિપૂર્ણ ચારિત્રનું સ્વરૂપ શીખવ્યું. વાસ્તવિક રીતે સર્વ મટાં સત્ય સાદાં હોય છે. હિંદુ, ઇસ્લામ, ક્રિશ્ચિયન, જૈન, બૌદ્ધ વગેરે સ્વધર્મનું તત્વ થોડા જ શબ્દોમાં કહી શકાય એવું હોય છે, પણ શબ્દને વાસ્તવિક બનાવવાને તથા વિચાર અને કર્મમાં જીવન કરવાને એક અંદગીને સમયમાત્ર સતત શોધમાં ને શોધમાં ચાલ્યા જાય છે. એક ખરા ધર્મિષ્ઠ મનુષ્યની પિતાની માન્યતા તેના ધર્મના મતમતાંતરકરતાં વધારે સારી હોય છે, અને તે અગત્યનાં મૂળ તત્ત્વના પાયાઉપરજ તે પિતાના જીવનનું બંધારણ બાંધે છે. ઉંચા પ્રકારને વાદવિવાદ તેની સાદાઈની ઉંચાઈએ કદાપિ પહોંચી શકતા નથી. તેને ધર્મના શરીરની મીમાંસાની કાંઈપણ દરકાર રહેતી નથી. તેને ધર્મના આત્મા સાથે જ કામ હોય છે. મન, વચન અને કાયાથી વિશુદ્ધ સાદું જીવન હરહમેશ ગાળે છે. સત્યઉપર જે ચારિત્રને પાયો નંખા નથી તે સારું હેઈ શકે જ નહિ, એટલે પોતાની અંતદીપિકા–મન અગર અંત:કરણ–તથા ભાવનાઓને સંગત રહે–તેને અનુસરીને ચાલે–તેવું જીવન જ સાદું હોઈ શકે. ભાવપૂર્ણ સંસ્કારેથી અંત:કરણને કેળવી સરળ અને સુદઢ બનાવવા પુણ્યમયી માતા જે અન્ય કારીગર વિશ્વમાં કયાંય મળતું નથી. અનેક કષ્ટ વેઠી બાલ્યાવસ્થામાં અનન્ય વાત્સલ્ય ભાવથી ઉછેરી ઉચ્ચ મનોવૃત્તિને પિષી–તન અને મનની કેળવણીથી વિભૂષિત કરો સંસારમાં પ્રયાણકાજ યોગ્ય બનાવે છે. તથા યાવજીવન સ્વાઈત્યાથી વાત્સલ્યથી સંતાનના ભલામાં તત્પર રહે છે.
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy