SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ, મને બળ–અધિકાર. ૧૩૫ *****ઝઝઝઝઝઝwwwજજનનનનન પુનરૂજજીવન અને તેના જ્ઞાનનો પુનઃપરિષ્કાર સમભાવે સમાઈ રહ્યો છે. આજે એ મનોનિગ્રહવિના હિદનું હાણ અસ્થિરતાના મહાસાગરમાં ઝોકાં ખાતું, વૃત્તિવાયુના વંટોળિયાપર હડીને વિષયની બારીમાં ચકકર ખાતું, અધર્મના વિનાશકારક ખરાબાપર અથડાવા લાગ્યું છે. ધડાધડ લાગતી પવનની ઝડીએથી સખ્ત પત્થરના વધારે સખ્ત ખડકનો બહાર નીકળેલાં જડબાઓમાં એ વહાણ પછડાય છે, અથડાય છે. તેનાં પાટીઆઓ એક પછી એક ભાંગીને ખસી જવા લાગ્યાં છે. તેમાં થઈને પાણીનાં તોફાની બેઓ વહાણમાં ધસવા લાગ્યાં છે. અને મૃત્યુશધ્યાપર પડેલા મનુષ્યની હેઠે એ વહાણું પણ “ઓ ડુખ્યું ! એ ચાલ્યું !” થઈ રહ્યું છે. આત્મપ્રિય, ધર્મપ્રિય, શ્રદ્ધાપ્રિય પ્રવાસી વિરાઓ ! એ ભરદરિયે ડૂબતાં વહાણને જે બચાવવું હોય અને આ ભવસાગરને પેલે પાર જે સહિસલામત ઉતરવું હોય, તો ઉપર દર્શાવેલા માર્ગમાંથી નિશ્ચયનાં નવાં પાટીઆ સંગ્રહી આ તમારા અસ્તવ્યસ્ત થતા વહાણને જડે, તેને દઢ અને મજબુત એવા સ યમના ખીલા લગાવો. સંગપરિત્યાગનાં તેની બને બાજૂએ ત્રાંબાનાં પડ્યાં છેક તળી સુધી ઠેકી દો અને શ્રદ્ધાના શઢ હડાવીને પશ્ચિમ છોડી પૂર્વ દિશા તરફ આગળ વધો. ખરાબાના માર્ગમાંથી પાછા વળો. પછી જૂઓ કે ઘડઘડાટ કરતું તમારું વહાણ મોક્ષબંદરને કિનારે કેવું ત્વરાએ જઈ પહોંચે છે? પછી જૂઓ કે, તમારા વિજયના ડંકા દિગતને ભેદીને શ્રીપરમાત્માના ચરણસૂધી જઈ પહોંચે છે કે નહિ ? * મનોબળ વધવાનો ઉપાય. * વિજયજ મનની દ્રષ્ટિથી જોયા કરવા છતાં, પૂર્વે અથવા પૂર્વજન્મમાં સેવેલા કોઈ અગ્ય વિચારના ફળરૂપે પ્રસંગે દુઃખ આવી પડતું કવચિત્ જેવામાં આવે છે, તેથી વિજયને જોયા કરનારે, ભવિષ્યમાં દુઃખના અનુમાનથી સાવધાનતા સેવવાની અગત્ય સ્વીકારીએ તે સ્વીકારી શકાય, પણ આ સાવધાનતાને અને તે સાવધાનતાએ સૂચવેલા ઉપાયને દિવસમાં સવાર સ્મરણમાં આણ, એ અનુમાન કરેલા દુઃખને સત્વર આવવાનું નિમંત્રણ કરવા તુલ્ય છે. સાવધાનતાએ સૂચવેલા દુઃખના અનુમાનને સમૂળ વિસરી જવું, એ સર્વોત્કૃષ્ટ છે; તેમ ન બને તે પ્રાપ્ત થનાર દુ:ખના પ્રસંગે શું કરવું તેની યોજના એકવાર ઘડી કાઢી, પણ તે જનાને મગજના સાતમા પાતાળમાં ડુબાવી દેવી અને ભવિષ્યમાં દુઃખ આવે તેજ તેને બહાર ડોકું કાઢવા દેવી, નહિ તે તેને નિરંતર ડુબેલી રાખવામાંજ, અર્થાત્ ભુલી જવામાંજ હિત છે. * * વિજયનાંજ ચિત્ર મનમાં રચ્યા કરે. જાગ્રમાં, સ્વમમાં, સર્વ અ* મહાકાળી માસિક.
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy