SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ભાગ ૩ જો. ૧૩૪ થવાને કે બુઝાઈ જવાને બદલે વૃદ્ધિનેજ પામે છે. આ સિદ્ધાન્ત—આ સત્યઆ શાસ્રવચનનું મૂલ્ય આગળના આ ધર્મ વીરાથી કાંઈ અજાણ્યુ નહાતું; એથી તે વિષયના ચિત્ત્વનને પણ મહાદોષરૂપ ગણીને બિલ્કુલ અવકાશ દેતા નહિ. દિવસ રાત અભ્યાસ કરતાં અવકાશ મળે ત્યારે પ્રણવનો જપ કરતા. રાત્રિમાં જ્યારે આલસ્યનું પ્રાબલ્ય વધે અને નિદ્રાના સ ંદેશા આવવા લાગે ત્યારેજ ૫થારીપર પડતા અને પડયા કે તુરત શાન્ત ચિત્તથી સુષુપ્તિમાં લીન થઈ જતા. એ નિદ્રા પણ દિવસના પૂરતા પરિશ્રમને લીધે સ્વમશૂન્ય, શાન્ત અને સુખરૂપ આવતી. રાત્રિના બે ક્લાક બાકી હૈાય ત્યાં તેઓ પથારીને પરિત્યાગ કરીને ભગવદ્ભજન, અધ્યયન અથવા શ્રીઈષ્ટસ્મરણમાં ચિત્તને પરાવી દેતા. ત્યારપછી શાચ, સ્નાનાદિ નિત્યકમેમેથી પરવારી પાછા પેાતાના સ્વાધ્યાયમાં જોડાતા. અલ્પ આહાર અને અલ્પનિદ્રાનું મુખ્ય પ્રયેાજન એજ છે કે, તેથી આલસ્ય-પ્રમાદ - બેચેની–ખેાટી વાસનાઓ-કુતર્ક કે નિદ્રાકાલે સ્વપ્નાંએ નથી આવતાં. અધિક સુનારા ઉંઘણસીને તેમજ પ્રાત:કાળમાં સૂઈ રહેનારા આળસુને અવશ્ય ખરામ સ્વપ્ન આવે છે. વધારે નિદ્રા કરવાથી જડ-સ્થૂળ શરીરમાં સૂક્ષ્મ શરીર શાન્ત રહી શકતું નથી; તેથી તેમાં મન અનેક તર્કવિતર્કનાં જાળાં ગુંથવાનું કરાળીઆનું કામ ચાલુ કરે છે. હૃદયમાં ભ્રમનું વૃક્ષ ઉભું થાય છે. માટે વ્હેલા ઉઠ્ઠી શાચાદિથી પરવારી, પેાતાના કાર્યોંમાં લક્ષ લગાવે છે. ખરાખ–વિષયવ ક પ્રાણી પદાર્થો તરફ નજર કરતા નથી, તેવેા વિચાર કરતા નથી, તેવી વાતે સાંભળતા નથી. વૃત્તિ કે સ્મૃતિને એ દિશામાં કઢિણુ દોડાવતા નથી, પરંતુ નિર ંતર બ્રહ્મના ધ્યાનમાંજ મગ્ન રહ્યા કરે છે; તેમને કામ ક્યાંથી સ્પશી શકે ? મેાહ કેમ ભમાવી શકે ? માયા શું સતાવી શકે? અને સ્વપ્તસૃષ્ટિનું મૃગજલ કેમ ડુબાવી શકે? દશમ ~~~~~~~————— આવાં ઉગ્ર મનેામળ, પવિત્ર વર્તન અને સંસગ પરિત્યાગના બળથીજ આર્ય બ્રહ્મચારીએ જગત્ની બજારમાં ભારતની કિંમત કાહીનુર જેવી કરાવી ગયા છે. આવા માર્ગના અવલ ંબનથીજ તેઓ નવિનિષ્ઠ અને અષ્ટસિદ્ધિ મેળવી ચુકયા છે. આવાં અવિચલિત વ્રત નિયમથીજ ભગવાન તીર્થંકરા, આર્ય શાસ્ત્રકાર, દર્શનકાર અને સ્મૃતિકાર, ગાતમ, કણાદ, પતંજલિ, વ્યાસ, વાલ્મીકિ આદિ મહાન ઋષિઓ, વેદાંતપ્રચારક શકરાચાર્ય અને ઐદ્ધમતપ્રચારક કપિલમુનિગાતમ બુદ્ધ, એવાજ ઉગ્રવર્તનવાળા હેમચંદ્ર સૂરિ, ખલભદ્ર સૂરિ કે જયવિજય આ જગતમાં શાશ્વત જય મેળવીને ધર્મના પવિત્ર માર્ગને પેાતાની નિળ પ્રભાથી પ્રકાશિત કરી ગયા છે. અને એજ માર્ગ છે કે જેના અવલંબન અને અનુસરણમાંજ ભારતના પુનરૂદ્ધાર તેના ધર્મોના જીર્ણોદ્ધાર, તેના બાળકાનું
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy