SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શક વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. તwww====*7*=જન=નનન+ ન =====ા સારૂ મનને સ્થિર, એકાગ્ર, રાગદ્વેષસંક૫રહિત કરવાની પ્રથમ જરૂર છે. એક વખત સમતા પ્રાપ્ત થઈ, સ્થિતિસ્થાપકતા આવી એટલે મનપર કબજે આવશે. આવી રીતે જ્યારે ગપર જય થાય ત્યારે ઇંદ્રિોપર અંકુશ આવે છે અને તેથી છ બાહ્ય અને છ આત્યંતર તપ કરવાનું સૂઝે છે અને કરેલાં તપ કર્મ તપાવવાનું–નિર્જરા કરવાનું પોતાનું કામ પણ ત્યારેજ કરે છે. ત્યાંસુધી ઘણુંખરું તે તપ કરવાનું મન જ થતું નથી, અથવા એજ્ઞાન કષ્ટરૂપ તપ, ફળની ઈચ્છા સાથે થાય છે, જે શાસ્ત્રકારની દ્રષ્ટિમાં લગભગ નકામાં જ છે; તેથી મન:સંયમપૂર્વક તપ થાય તો તેનાથી કર્મનિર્જરાદ્વારા તુરતજ મોક્ષપ્રાપ્તિ થાય છે, એક્ષપ્રાપ્તિ કરી આ સંસારના હમેશાંના કચકચાટન, રખડપટ્ટાને છેડા આણુ એ સર્વને અંતરંગ હેતુ છે અને તેનું મૂળ સાધન મન:સમાધિ છે. સુજ્ઞ પુરુષોએ મનની સમાધિ રાખવા યત્ન કરવો એ ખાસ જરૂરનું કર્તવ્ય છે. ૧૧ ' મનધીવરને વિધા ન કરવો. ' વંસ્થ. (૨૨ થી ૨૫) * कुकर्मजालैः कुविकल्पमूत्रर्निबध्य गाढं नरकाग्निभिश्विरम् । (અ ) विसारवत् पक्ष्यति जीव ! हे मन कैवर्तकस्त्वमिति मास्य विश्वसीः॥१२॥ હે ચેતન! મનધીવર (મચ્છીમાર ) કુવિકલ્પ દોરીઓની બનાવેલી કુકર્મ જાળ પાથરીને તેમાં તેને મજબૂત રીતે ગુંથી લાંબા વખત સુધી માછલાની પેઠે નરકાગ્નિમાં મુંજશે, તેટલા માટે તું તેના પર વિશ્વાસ રાખીશ નહિ” ૧૨ ભાવાર્થ-વિષયની શરુઆતમાંજ પ્રથમનો શ્લોક બહુ આલંકારિક વાપર્યો છે. શરૂઆતમાં મન પર અંકુશ હોતો નથી ત્યારે શું કરવું તે અત્ર બતાવે છે. હે ચેતને! તું એમ માને છે કે આ મન તે તારું પિતાનું છે, પણ તે તે એક ધીવરજેવું ખરાબ છે અને તારું પોતાનું નથી એ ચોકસ માનજે. તે તે મેટી મટી જાળ પાથરશે અને તને તેમાં પકડી લેવા યત્ન કરશે અને પકડીને પછી નરકરુપ અગ્નિમાં મુંજશે. આવા આવા તારા હાલહવાલ કરી નાખશે, માટે હે જીવરુપ મત્સ્ય! તું તારા શત્રુ, મનપ ધીવરને વિશ્વાસ કરીશ નહિ. માછલું બિચારું પગલિક ઈચ્છાથી લેવાઈ જાય છે, તેને ધીરે પાથરેલી જાળની ખબર પડતી નથી, તેમજ આ અજ્ઞાની છવ મનધીવરની જાળમાં સપડાઈ જાય છે, ફસાઈ જાય છે અને નીકળી શકતો નથી. એ ફસાવનારી જાળ તારા કુવિકલ્પરૂપ સૂત્રથી બનેલી છે. આ ઉપરથી સાદા પણ ભારવાળા શબ્દોમાં જ્ઞાની મહારાજ ભલામણ કરે છે કે મનને વિશ્વાસ કરો નહિ. માછલાં પડવા માછીમારે જાળ કેવી પાથરે છે તેને અનુભવ હોય તે
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy