SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. , મને વ્યાપાર-અધિકાર. ૧૫ જ્ઞાનને જે ઉપયોગ થાય છે તે મારી દે છે અને તેજ જ્ઞાનને સદુપયોગ થાય છે તે કાર્ય સિદ્ધ કરી દે છે. રાજ્યદ્વારી જીંદગીનાં રાણું જુઓ તો અકારણે હજારો માઠા સંકલ્પવિકલ્પ કરવા પડે અને ઉથલપાથલ કરવી પડે તેવીજ રીતે મોટા વ્યાપારમાં અને તેવી જ રીતે મહા આરંભે માં થાય છે. આવી સ્થિતિને માણસ વિદ્વાન હોય છે તેમાં તે શક નહિ, પણ તેના જ્ઞાનને સદુપયોગ થતો નથી અને મનના રાજ્યમાં તણાઈ પિતાને હાથેજ ગળામાં ફાંસી નાખી રાવણ, દુર્યોધન, જરાસંધ, સુભૂમ વિગેરેની ગતિ પ્રાપ્ત કરવી પડે છે. વિદ્વાનોએ કદી પણ એમ ન સમજવું કે જ્ઞાન છે માટે વતનની જરૂર નથી. જ્ઞાન એવી વસ્તુ છે કે જે તેને સદુપયોગ ન થાય તે તે વિપરીત પણ કરી નાખે છે. જે જ્ઞાનીઓ જ્ઞાનબળથી અકાર્યને અકાર્ય સ મજી અશક્યપણાવિગેરે કારણથી તેમાં ત્રાસ પામતાંચિત્ત પ્રવર્તે છે અને નિરંતર તેમાં પ્રવૃત્તિ ન થવાને ઈચ્છે છે તેને ઉદ્દેશીને આ લેખ લખાયો નથી, પણ જેઓ વિદ્વાન ગણાતાં છતાં રાચી માચીને બહુ કપટ કેળવી પાપકાર્યમાં પ્રવર્તે છે અને પિતાને બચાવ કરવા તત્પર થાય છે તેવાઓને માટે આ લેખ છે એમ સમજવું. ૧૦ મનની શાંતીથી થતા ફાયદા. વોરા દેતન સંmધિઃ પ નિ તપસી યોગી ... , तपश्च मूलं शिवशर्मवल्ल्या , मनःसमाधि भज' तत्कथञ्चित् ॥११॥ध.क.) મનની સમાધિ (એકાગ્રતા–રાગદ્વેષરહિતપણું) યોગનું કારણ છે, વેગ એ તપનું ઉત્કૃષ્ટ સાધન છે અને તપ શિવસુખલડીનું મૂળ છે, તેટલા માટે કઈ પણ રીતે મનની સમાધિ રાખ.” ૧૧ ભાવાર્થ–શાસ્ત્રને કેઈપણ ગ્રંથ વાંચતાં જણાશે કે અગાઉ કહ્યું તેમ મનેનિગ્રહથી અશુભ કર્મબંધ રેકાય છે, પુણ્યબંધ થાય છે, એટલું જ નહિ પણ તેથી પરિણામે મેક્ષપ્રાપ્તિ પણ થાય છે. શાસ્ત્રકાર કહે છે કે આત્માને ઉચી પાયરીએ ચડાવવા પહેલાં શુદ્ધ ભૂમિકા કરવી જોઈએ. એક ભીંતપર ચિત્ર કાઢવાં હોય તે પ્રથમ તે સાફ કરવી જોઈએ. મનમાં દ્વેષ, ખેદ, વિકલ્પ, અસ્થિરતાપ ઝાંખરાં અને કચરે બાઝેલાં હોય ત્યાં સુધી ભૂમિકા અશુદ્ધ કહેવાય છે અને તેની ભૂમિકાપર ગમેતેટલાં ચિત્ર કરે, અર્થાત્ વાંચન વાંચે, વિચારે, સાંભળો, પણ અસરકારક રીતે શોભતાં થશે નહિ. તે થવા ૧ જ રિ-કાન, - મા
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy