________________
૫૦
****
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો.
६ सारणिता ७ रोगिणिता ८ अनाटिता ९ देवसुपनत्ता १० वछाणु बंधिता ॥ ३२ ॥
સપ્તમ
ગાજસૂત્ર.
દીક્ષા દશ પ્રકારની કહેલી છે તે આ પ્રમાણે!—૧ પોતાની ઇચ્છાથી, ૨ ક્રોધથી, ૩ કુટુંબની પ્રેરણાથી, ૪ સ્વપ્રથી, ૫ ઉપદેશ સાંભળવાથી, ૬ ઉપદેશ યાદ આવવાથી, ૭ રોગથી, ૮ અનાદરથી, ૯ દેવતાના પ્રતિઐાધથી તથા ૧૦ સતાનના વાત્સલ્યથી દીક્ષા લેવામાં આવેછે.
૩૨.
આ પ્રમાણે વર્ણન કરી આ અધિકારની સમાપ્તિ કરવામાં આવેછે.
-> રાત્રિનુવ–ધિવા.
ચારિત્ર કેવું હોય તે ખતાવી તેમાંથી ( ચારિત્ર્યમાંથી ) ઉત્પન્ન થતું ૐ સુખ દર્શાવવા પ્રયત્ન શરૂ થાયછે.
મનુષ્ય સુચારિત્રાનું સેવન કરવાની ઘણી જરૂર છે, તેમના સેવનથી અસાધ્ય વસ્તુ સાધી શકાયછે. સત્યાસત્યને વિચાર કરીને ગ્રાહ્ય અને ત્યાજ્યને આધ થાયછે. વ્યવહારદશામાં ચેાગ્ય વન ચલાવી પરિણામે ઉત્તમ દાયે પહોંચી શકાયછે, ચારિત્રયુક્ત મનુષ્ય કેવા સુખી અને નિ:સ્પૃહ હોયછે તે પણ તેમના સહેવાસ સિવાય જાણી શકાતું નથી, માટે સંસારમાં સુખી દશામાં જીવન ગાળી મેાક્ષપદારૂઢ થવાની ઇચ્છાવાળાને તે અવશ્ય સેવ્ય છે જેમનું વૃત્તાંત આગળ દર્શાવવામાં આવ્યું છે કે જે વાંચવા-વિચારવાથી તેમનું વણુ વેલું ઉત્તમ તત્ત્વ સમજાશે . એમ વિચારી આ ચારિત્રસુખ અધિકારને આરંભ કરવામાં આવેછે.
ચારિત્રની મહત્તા. અનુષ્ટુપ્ (o થી ૮).
तच्चारित्रं न किं सेवे, यत्सेवावशगः पुमान् । हीनवंशोऽपि संसेव्यः सुरासुरनरोत्तमैः ॥ १ ॥
તે ચારિત્ર (સસારમાં વર્તવાની શુભ રીતિ) ને હું કેમ ન સેવું? કે જેની સેવાને વશ (આધીન) રહેનારા પુરૂષ હીન વંશના હાય તાપણુ દેવ, અસુર અને ઉત્તમ પુરૂષાએ સેવવા યેાગ્ય થાયછે. ૧.