________________
પરિ છે. સમ્યકત્વ-અધિકાર,
૨૫ સ્વરૂપને અવલંબીને પિતે બંધ મોક્ષને અવિરોધીપણે પોતાના હૃદયમાં ચિંતવે અને દયાદિ તને અનુમાન જ્ઞાનથી નિશ્ચિત નિરધાર કરે તે બુદ્ધિશાળી હેવાથી કેક દર્શની આત્માદિક વસ્તુને સર્વથા નિત્ય ને અપરિણામી માને છે તેમના સિદ્ધાંત પ્રમાણે બંધ મેક્ષજ ઘટી શકે નહિ એમ સ્વયં સમજી શકે. કેમકે જે સર્વથા નિત્ય હોય તે કઈ પણ અન્ય સ્વભાવે ઉપજે વિણસે નહિ એટલે જે બંધ સ્વભાવે ઉપજે વિણસે નહિ તે મોક્ષ સ્વભાવે પણ ઉપજે વિણસે નહિ એટલે બંધ મક્ષ બંનેને અભાવ થાય. વળી અપરિણામી એ જીવ જો બંધપણે પરિણમે નહિ તે મેક્ષપણે પણ પરિણમે નહિ એટલે બંધનું શુભાશુભ ફળ અને મેક્ષનું પરમાનંદ ફળ તેને પ્રાપ્ત થઈ શકે નહિ. જે દુબુદ્ધિભાવથી વિણસે તે સુબુદ્ધિ ભાવે ઉપજે, તેમ જે બંધ સ્વભાવથી અથવા સંસારસ્વભાવથી વિણસે તે મેક્ષસ્વભાવે ઉપજે પણ સર્વથા નિત્યને તે તે ઘટે નહિ. વળી જે પરિણામી હોય તેજ સર્વથા વિણસ્યા વિના ને સર્વથા ઉપજ્યા વિના જેમ દૂધ દધિપણે પરિણમે છે તેમ મૂળ વસ્તુજ ઉત્તરોત્તર અન્યરૂપે પરિણમે. એટલે સંસારી અશુદ્ધ જીવજ શુદ્ધ સ્વરૂપ બ્રહ્મપણે પરિણમે, પણ જે અપરિણામી હોય તે તેમ દટે નહિ. આ પ્રમાણે તે સમજી શકે અને તેથી એકાંત નિત્ય ને અપરિણામી જીવાદિકને માનનારાં દર્શને બંધક્ષનાં વિરોધી છે એમ જાણે. તે સાથે એવા વિરોધી અશુદ્ધ તત્ત્વને કહેનારાના દેવગુરૂ પણ અશુદ્ધજ હોય એમ સમજી શકે તે જ રીતે પ્રકૃતિનેજ બંધમોક્ષ માનવાવાળા એટલે સવથા અનિત્ય માનવાવાળાને પણ બંધમાક્ષને વિરોધ આવે છે એમ તે સમજી શકે અને સ્યાદ્વાદરૂપે વસ્તુ કહેનાર દર્શનને જ શુદ્ધ માની તેને સ્વીકાર કરે.
ગ્રંથિભેદ. આત્મા અત્યંત–સહજ– સ્વસ્થતા પામે એજ સર્વ જ્ઞાનને સાર શ્રી સવરે કહ્યો છે.
અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે; જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે. શ્રી જિને એમ કહ્યું છે, કે યથા પ્રવૃત્તિકરણસુધી જીવ અનંતીવાર આવ્યું છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય ત્યારે #ભ પામી પાછે સંસારપરિણામી થયા કર્યો છે. ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થેજ જીવે નિત્ય પ્રત્યે સત્સમાગમ, સદ્દવિચાર અને સગ્રંથને પરિચય નિરંતરપણે કરો શ્રેયભૂત છે.
*સમ્યગ્દર્શનનું આધુનિક ભાષાશૈલીએ સરલ દર્શન. આ સંસારમાં સર્વ પ્રકારનાં દુઃખના બીજભૂત મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે, અને સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્મચારિત્ર સર્વ
* સન સન્મિત્ર.