SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ શાન-અધિકા. મનુષ્યએ સદા અનેક જન્મથી મેળવેલાં અને અત્યંત મજબૂતપણાને પામેલાં મનુષ્યનાં કર્મો ઉગ્ર તપોથી પણ અહિં નાશ પામતાં નથી. પરંતુ જ્ઞાન તે ક્ષણ માત્રમાં તે (ક) ને નાશ કરી નાખે છે. ૧૩. જ્ઞાનતુલ્ય કઈ પદાર્થ નથી. વઝા (૨૪ થી ૮). न ज्ञानतुल्यः किल कल्पवृक्षो, न ज्ञानतुल्या किल कामधेनुः । न ज्ञानतुल्यः किल कामकुम्भो, ज्ञानेन चिन्तामणिरप्यतुल्यः॥१४॥ ખરેખર કલ્પવૃક્ષ પણ જ્ઞાનતુલ્ય નથી અને કામધેનુ (કામદધા ગાય) પણ જ્ઞાનસમાન નથી, તેમ કામકુંભ (કામને એટલે ઈચ્છાઓને પૂર્ણ કરનાર એક જાતને મંત્રિત ઘડે) પણ જ્ઞાનતુલ્ય નથી અને ચિંતામણિ નામને મણિ પણ જ્ઞાનની સમાન નથી. ૧૪. જે સુખ જ્ઞાની મનુષ્યને થાય છે તે સુખ એલ્પઅંશે દેવતાઓને પણ થતું નથી. सौख्यं हि ये ज्ञानरसे निमनाः, सर्वातिशायीह जना लभन्ते । वृन्दारका नैव तदेकदेश, सत्यं समर्थाः प्रभवन्ति लब्धुम् ॥ १५ ॥ જ્ઞાનરૂપી રસમાં મગ્ન થયેલા જે મનુષ્ય અહિં લેકમાં સર્વોપરિ એવા જ સુખને પ્રાપ્ત થાય છે, તે સુખના એક દેશને સમર્થ એવા દેવતાઓ પણ ખરેખર પામવાને સમથ થઈ શક્તા નથી. ૧૫. - જ્ઞાન ચાર પ્રકારના કષાયોને નાશ કરે છે. क्रोधाग्निनिर्वापणवारिवाहो, मानोग्रदन्तावलकेसरीशः। - मायातमीध्वंसनचण्डभानुर्ज्ञानं हि लोभाम्बुधिकुम्भजातः ॥ १६ ॥ જ્ઞાન તે નક્કી ક્રોધરૂપી અગ્નિને શાંત કરવામાં મેઘતુલ્ય છે, માનરૂપી ઉગ્ર હાથીને હણવામાં કેસરી સિંહના સ્વામી (મહા કેસરી) તુલ્ય છે, માયા રૂપી રાત્રિને નાશ કરવામાં પ્રચંડ સૂર્યરૂપ છે અને લેભરૂપી સમુદ્રનું શેષણ કરવામાં અગત્યષિતુલ્ય છે. ૧૬. જ્ઞાનવિના મેક્ષ નથીજ. इच्छास्ति चेन्मुक्तिपदं प्रधातुमाराधनं ज्ञानपदस्य कुर्यात् । ज्ञानं विना नैव कदापि मोक्षो, नानामकारैरपि मोक्षमार्गः ॥ १७॥
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy