________________
*----
----- ૧૦.
• • • :
પરિચછેદ,
જ્ઞાન-અધિકાર વિદ્વાન પુરૂષો પૃથ્વીમાં જ્ઞાનના સ્વાદને પામીને અન્ય રસને ઇચ્છતા નથી. કારણકે હસે નક્કી મુક્તા (ખેતી) ની માળાને પામીને બીજા ખાવાના પદાર્થને કઈ પણ દિવસ ઈચ્છતા નથી. ૬. જ્ઞાનને ગુમાવવું એ કંગાલે લક્ષમીને તિરસ્કાર કર્યા બરાબર છે. लब्ध्वा हि मानुष्यभवं जना ये, जानन्ति न ज्ञानकलां कदापि ।। तेषामशेषा गदिता जिनेशैर्व्यर्थाः कलाः पापपुषः परा हि ॥७॥ ..
જે પ્રાણીઓ નક્કી મનુષ્ય જન્મને પામીને કઈ પણ દિવસ જ્ઞાનની કળાને જાણતા નથી તેની બીજી તમામ (વ્યાપારાદિ) કળાઓ શ્રીજિનેશ્વર ભગવાને વ્યર્થ કહેલી છે. કારણકે તે કળાએ નકી પાપ કરીને પેટના પોષણ માત્રજ કાર્યને કરવાવાળી છે, માટે પુનર્જન્મમાં તેને કાંઈ શુભ લાભ નથી પણ સામી દુઃખદ છે. ૭. અમૃતકરતાં જ્ઞાનની શ્રેષ્ઠતા બતાવે છે.
ઉપનાતિ. ज्ञानं जनानामपवर्गमार्गे, पाथेयरूपं गदितं जिनेशैः । भुक्त्वैकवेलं तदपीह भव्या, न वै सुधाक्षामशरीरभाजः॥८॥
શ્રીજિનેશ્વર ભગવાને જ્ઞાનને મોક્ષ માર્ગમાં મનુષ્યના ભાતારૂપ કહાં છે, તેથી જ્ઞાનરૂપી ભાતાનું એક વખત ભેજન કરનારા જ ભવ્ય બની જાય છે પરંતુ (અમૃત) થી પુષ્ટ શરીરવાળા દે ભવ્ય બની શકતા નથી. ૮.
જ્ઞાનનું બળ જણાવે છે.
૩પનાતિ. ज्ञानं च संसारसमुद्रतीरं, कषायदावानलदाहनीरम् । मोहारिसंहारसमीकवीरं, मायापिशाचीहनने सुधीरम् ॥ ९ ॥
જ્ઞાન તે સંસાર સમુદ્રના તીરરૂપ છે અને ચાર પ્રકારના (ક્રોધ, માન, માયા અને મેહરૂપી) કષાયરૂપ દાવાનળ (અગ્નિ)ને ઠારવામાં પાણરૂપ છે, એટલે કષાયરૂપી મેલને નાશ કરનાર છે અને મેહ (અજ્ઞાન) રૂપી શત્રુને સંહાર કરવામાં રણસંગ્રામના વીર પુરૂષતુલ્ય છે તેમ માયારૂપી રાક્ષસીને હણવામાં મહાન ધીર પુરૂષતુલ્ય છે. ૯
૬૨