________________
૪૮૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે
નવમ જાતના ઔષધરૂપ છે અને વળી હસ્તિ, અધિ, રથ, ધનાદિની અપેક્ષારહિત મહાન ઋદ્ધિવાળું સ્વામિત્વ પદ છે. ૨.
જ્ઞાનની ઉચ્ચ ટિમાં ગણના.
સપનાતિ (૩ થી ૫). ज्ञानं हि लोके परम पवित्रं, निरामयाक्षिपतिमं जिनेशैः। प्रोक्तं च सिद्धान्तपरम्परायां, परम्परामोक्षसुदानदक्षम् ॥ ३॥
ખરેખર લોકમાં જ્ઞાન ઘણુંજ પવિત્ર છે અને ધર્મના સિદ્ધાંતની પરં. પસમાં પરંપરાથી પ્રાપ્ત થતા મેક્ષના દાનમાં ચતુર (મોક્ષદાયી) છે તેથી શ્રીજિનેશ્વર ભગવાને નીરોગી નેત્રસમાન કહેલું છે. ૩. તથા–
न ज्ञानतुल्यं भुवि किश्चिदस्ति, हिताहितार्थप्रतिबोधदक्षम् । ज्ञानेन हीनो गदितो बुधेशैर्जनः पशुः पुच्छविषाणहीनः ॥ ४ ॥
પૃથ્વીમાં હિત અને અહિત અને જણાવવામાં ચતુર જ્ઞાનસમાન બીજું કાંઈ નથી. કારણકે જ્ઞાનહીન પુરૂષને મહા વિદ્વાન પુરૂએ પૂંછડાં તથા શીગડાંથી રહિત એવા પશુસમાન કહેલ છે. ૪.
જ્ઞાનીને મેક્ષ તરત મળે છે. ज्ञानं सदाराधयतां जनानां, स्वयंवरेयं किल मुक्तिरामा । - बोधोपदेशेन कटाक्षमालां, विमुञ्चति द्राक् परिणेतुमेषाम् ॥ ५॥
જ્ઞાનનું હમેશાં આરાધન કરનાર આ પુરૂષેની સાથે વિવાહ કરવાને પિતાની મેળે પરણવાવાળી આ મુક્તિ (મોક્ષ) રૂપી સ્ત્રી જ્ઞાનના ઉપદેશથી કટાક્ષની પંક્તિને એટલે એક પછી એક એમ કટાક્ષને કરે છે એટલે જ્ઞાની મનુષ્યને મોક્ષ સત્વર પ્રાપ્ત થાય છે. પ. જ્ઞાનરૂપી ચિંતામણિ મેળવ્યા પછી શંખલાં વીણવાની
જરૂર નથી.
વઝા (–). ज्ञानस्य लब्ध्वा विबुधा पृथिव्यां, स्वादं न वाञ्छन्ति रसं परं तु । हंसा हि लब्ध्वा खलु मुक्तमाला, खाद्यं न वाञ्छन्ति परं कदापि ॥६॥