________________
SANAAAAAA
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે.
નવમ હે ધનથી અંધ થયેલ મૂઢ! દુઃખી માણસને કેમ હસે છે? કઈ ઠેકાણે લક્ષમી સ્થિર રહેતી નથી તેમાં અહીં આશ્ચર્ય શું છે? કારણકે રેંટમાં રહેલા ઘડાઓ તે તે તું જુવે છે કે જે ઘડાઓ ખાલી હોય છે તે ભરાય છે ને જે ભરેલા છે તે પુનઃ ખાલી થાય છે. આવી રીતે નિધન ધનવાન થાય છે અને ધનવાન નિર્ધન બને છે. માટે અનિશ્ચિત સ્થિતિવાળા ધનના મદને લઈને ગરીબને ઉપહાસ કર એ એગ્ય નથી. ૫.
બહુરંગી લહમી.
શાર્વવિદિત (૬ થી ૨). निम्नं गच्छति निम्नगेव नितरां निद्रेव विष्कम्भते, . चैतन्यं मदिरेव पुष्यति मदं धूम्येव दत्तेऽन्धताम् । चापल्यं चपलेव चुम्बति दवज्वालेव तृष्णां नय
त्युल्लासं कुलटाङ्गनेव कमला स्वैरं परिभ्राम्यति ॥ ६ ॥ લક્ષમી નદીની માફક નીચ તરફ જાય છે, નિદ્રાની પેઠે જ્ઞાનને નાશ કરે છે, મદિરાની માફક અહંકાર ઉત્પન્ન કરે છે, પ્રેમના સમૂડની પેઠે આંધળાપણું આપે છે, વિધુની માફક ચપળતા ધારણ કરે છે, દાવાનળની જવાળાની પેઠે તૃણ (ભ) વધારે છે અને વેશ્યા સ્ત્રીની માફક મરજી મુજબ વિહાર કરે છે. ૬.
લક્ષ્મી દુખપ્રદ છે. दायादाः स्पृहयन्ति तस्करगणा मुष्णन्ति भूमीभुजो,
गृह्णन्तिच्छलमाकलय्य हुतभुग्भस्मीकरोति क्षणात् । ગm gવતિ ક્ષિત વિનિરિ ચક્ષા દત્તે દહાત,
दुर्वृत्तास्तनया नयन्ति निधनं धिग्बहधीनं धनम् ॥ ७॥ બહુ સ્વામીવાળી લક્ષ્મીને ધિક્કાર છે, કારણકે ગોત્રી (વારસ) પિતાપાસે રહેલી લમીની ઈચ્છા કરે છે, ચાર લેક પણ ચોરી કરે છે, રાજાઓ(વૃથા) આળ મેલીને લઈ લે છે, અગ્નિ ક્ષણમાત્રમાં ભસ્મ કરે છે, પાણ ઉપાડી જાય છે, પૃથ્વીમાં દાટી રાખેલ હોય તો પણ યક્ષે (વ્યંતરે) બળાત્કારથી હરી જાય છે અને પુત્ર પોતાને (લક્ષમીપતિને) નાશ કરે છે. માટે લક્ષમીને ધિક્કાર છે? આવી લક્ષમીની લાલચમાં લપેટીને મનુષ્ય પોતાના કર્તવ્ય કર્મથી ભ્રષ્ટ થવું એ એગ્ય નથી. 9.