SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ પરિવ. ધનમમ વચન-અધિકાશ વિશેષાર્થ-વિવિધ પ્રકારની પૂજા, બિંબપ્રતિષ્ઠા, સ્વામી વાત્સલ્ય, મંદિર ચણાવવાં, ઉપાશ્રય કરાવવા વિગેરે દ્રવ્યસ્તવ કહેવાય છે. દ્રવ્યની મદદથી આ પ્રકાર બહુ સારી રીતે સાધી શકાય છે. પુણ્યશાળીએ મળેલ લમીને ધર્મમાગે વ્યય કરી મહાપુપાર્જન કરે છે. ગ્રંથકાર કહે છે કે આ પ્રકારના ધર્મમાં પણ આરંભ થાય છે, કારણકે ષકાય જીવનું મર્દન થાય છે તેથી આ પ્રકારને ધર્મ અતિ શુદ્ધ નથી. ધ્યાન રાખો કે અતિ શુદ્ધ નથી, શુદ્ધ તે છે જ; પણ તે ધર્મ કરવાને નિમિત્તે દ્રવ્ય મેળવવું યુક્ત નથી. હરિભદ્ર સૂરિ મહારાજાએ પણ અષ્ટકમાં કહ્યું છે કે – धर्मार्थ यस्य वित्तेहा, तस्यानीहा गरीयसी । प्रक्षालनाद्धि पङ्कस्य, दूरादस्पर्शनं वरम् ॥ ધર્મને માટે પૈસા મેળવવાની ઈચ્છા કરવી તેના કરતાં તેની ઈચ્છા નજ કરવી એ વધારે સારું છે. પગે કાદવ લાગ્યા પછી તેને ધોઈને સાફ કરવા કરતાં દૂરથી કાદવને સ્પર્શ નજ કરે, એ વધારે સારું છે.” બાકી મળેલ દ્રવ્યને તે ધર્મમાર્ગેજ વ્યય કર. આ ભાવ આવતા આઠમા કથી સ્પષ્ટ થશે. દ્રવ્યસ્તવ યુક્ત ધર્મથી લાંબેકાળે મુકિત મળે છે ત્યારે નવવિધ પરિગ્રહથી નિઃસંગ થયેલા છે તેજ ભવમાં જન્મજરામરણુરહિત અશ્રુતપદ પ્રાપ્ત કરે છે. નિસંગતા સ્વરૂપવાળે ધમ અતિ શુદ્ધ છે. કહેવાની મતલબ એ છે કે ધર્મનિમિતે ધન મેળવવા વિચાર કરે નહિ. પુનરાવર્તન કરીને કહેવામાં આવે છે કે આ શ્લેકને ભાવ બરાબર વિચાર. દ્રવ્યસ્તવને જરા પણ નબળું પાડવાનો વિચાર ગ્રંથકત્તને નથી, પણ ધર્મમાં પ્રધાનતા નિઃસંગતાની જ છે. દ્રવ્યસ્તવથી મેક્ષ લાંબે કાળે પ્રાપ્ત થાય છે, પરંતુ તેથી મોક્ષમાર્ગ તે છે જ. મોક્ષ પ્રાપ્ત કરવાના અનેક ભાગ હોય છે, તેમાંના કેઈ લાંબા, કોઈ વાંકાચુંકા અને કઈ સીધા-સરલ હોય છે. જેમ આપણે મુંબઈથી સુરત જવું હોય તે ગ્રાંટડથી બેસીને સીધા પણ જવાય અથવા દરિયામાર્ગે જવાય અથવા બીજા અનેક આડા માર્ગે જવાય; જેમકે પ્રથમ કરાંચી જાય, ત્યાંથી જાફરાબાદ થઈ ગવે આવી ભગવાડાંડીએ જઈ ત્યાંથી સુરત જાય; એ પ્રમાણે મેક્ષમાર્ગ કેટલાકને સીધે પ્રાપ્ત થાય છે અને કેટલાક નકામા ચક્કર લે છે. દ્રવ્યસ્તવ એ પ્રમાણે તે મેક્ષમાર્ગ તરફ જ છે, તેનું સુકાન બરાબર દિશામાં મૂકાયેલું છે, માત્ર તે લાંબે માગે છે પણ વિમા કે અપમાર્ગ નથી. દ્રવ્યસ્તવને નરમ પાડવાની કેટલીક વાર વિચારણું જોવામાં આવે છે અને ખાસ કરીને કાંઈક શરમથી અને કાંઇક અવકાશના અભાવથી આ કાળમાં તે વૃત્તિ વિશેષ દેખાતી જાય છે. જ્યારે અગાઉના વખતમાં તેજ વૃત્તિ ઓળઘાલ ૫૫
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy