________________
પરિ ધનમમતવમાચન-અધિકાર.
૪૩૧ જે પૈસા શત્રને પણ ઉપકાર કરનારા થઈ પડે છે, જે પૈસાથી સર્પ, ઉંદર વિગેરેમાં ગતિ થાય છે, જે પૈસા મરણરોગ વિગેરે કેઈપણુ આપત્તિઓ દૂર કરવાને શક્તિમાન નથી તેવા પૈસા ઉપર તે મેહ શ?
ભાવાર્થવ્યવહારમાં પૈસાદારને આસમાનમાં ચઢાવી દેવામાં આવે છે કે સર્વે ગુણ વનિમાયને “વસુ વિના નેર પશુ’ વિગેરે. આવા વ્યાવહારિક વાક્ય કેટલે અંશે આડે માગે દેરનારાં છે તે અત્રે બતાવે છે. પ્રથમ પદમાં બહુ સરસ ભાવ બતાવ્યું છે. શત્રુ ધન લુંટી જઈ અને તેજ ધનથી બળવાન થઈ તારી સામે તે વાપરે છે. પરશુરામે મહાસંહાર કરી નક્ષત્રી" કરેલી પૃથ્વી અને દલિત સર્વ સુભમને ભાગ પડયાં. પ્રતિવાસુદેવ મહેનત કરી ત્રણ ખંડનું રાજ્ય એકઠું કરે છે તે વાસુદેવના ઉપભેગમાં આવે છે અને પ્રતિવાસુદેવનું ચક તેનું પોતાનું માથું છેદે છે. આવી રીતે આ પણ પસાથી આપણે શત્રુ પણ બળવાન થઈ શકે છે.
બહુ લોભી પ્રાણીઓ મરણ પામ્યા પછી તેના ધનઉપર સર્પ કે ઉંદર થાય છે. એવી વાત આપણે શાસ્ત્રમાં વારંવાર વાંચીએ છીએ. આ ભવમાંજ નહિ પણ પરભવમાં પણ આટલું દુઃખ દેનાર અને નીચ જાતિમાં (તિર્યંચમાં). ગમન કરાવનાર પૈસાને માટે શું કહેવું અને તેના પર મેહ કે કર, તે વિચારવા જેવું છે.
રાજા, ચકવતી અને આખી દુનિયાને માથે લેનારા બીજા શુરવીરે ચાલ્યા ગયા ત્યારે તેઓના પૈસા એ તેઓને અને મોટા ધવંતરી વૈદ્યો કે ડાક્ટરે પણ બચાવી શક્યા નહિ. મેટા ધનવાને માંદા પડે છે ત્યારે તેઓને અસાધધ વ્યાધિમાંથી પૈસા બચાવી શક્તા નથી, તેમ બીજી આપત્તિમાંથી બચાવવાને પણ ધન સમર્થ નથી. આવી રીતે શારીરિક તેમજ માનસિક, ઐહિક તેમજ આમિક અનેક દે
નું મૂળ પૈસા છે તેથી તે પરમેહ કેમ કરે અને તેવા પૈસાથી આશા શી રાખવી? નંદરાજાની સેનાની ડુંગરીઓ પણ અંતે કાંઈ કામમાં આવી નથી એ ધ્યાનમાં રાખવા જેવું છે. ૨.
ધનથી સુખકરતાં દુખ વધારે છે.
ઉપનાતિ. ममत्वमात्रेण मनःप्रसादसुखं धनैरल्पकमल्पकालम् । आरम्भपापैः सुचिरं तु दुःखं, स्यादुर्गतौ दारुणमित्यवेहि ॥ ३॥
* ક્ષત્રિયરહિત.