SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસંહ–ભા૨ ને. વૃદ્ધિ પામેલ એવા નદીને પૂરની માફક શું પરિગ્રહ કલેશકર નથી ? અર્થાત ફ્લેશકર છે. જેમ નદીનું પૂર પાણીને ઓળી નાખે છે, કાંઠા ઉપરનાં વૃક્ષને મૂળમાંથી ખેંચી કાઢે છે, કમળને પીડે છે, સમુદ્રને વધારે છે. કાંઠાને ભાંગી નાખે છે, અને હંસને ઉડાવી મૂકે છે; તેમ પરિગ્રહ મૂખને કલેશ ઉત્પન્ન કરે છે, ધર્મને ઉખેડી નાખે છે, નીતિ, કૃપા, ક્ષમાને પીડે છે (નાશ કરે છે), લેભને વધારે છે, મર્યાદાને મૂકાવે છે અને શુભ ધર્મધ્યાન કરનારું જે મન તેને પરદેશ ગમનભુખ કરે છે. ૬. તથા– प्रत्यर्थी प्रशमस्य मित्रमधृतेर्मोहस्य विश्रामभूः, पापानां खनिरापदां पदमसद्ध्यानस्य लीलावनम् । व्याक्षेपस्य निधिर्मदस्य सचिवः शोकस्य हेतुः कले, केलीवेश्म परिग्रहः परिहतेोग्यो विविक्तात्मनाम् ॥ ७ ॥ .. વિવેકી મનુષ્યએ પરિગ્રહ તજ એ છે, કારણકે પરિગ્રહ શાંતિને શત્રુ છે, અસંતોષને મિત્ર છે, મેહનીયકર્મનું વિશ્રામ સ્થાન છે, પાપિની ખાણ છે, દુઃખનું સ્થાનક છે, રદ્રધ્યાનનું કીડાવન છે, વ્યાકુળપણાને ભંડાર છે, અહંકારને પ્રધાન છે, શકનું કારણ છે અને કછુઆને રમવાનું ઘર છે. ૭. વળી– वहिस्तृप्यति नेन्धनैरिह यथा नाम्भोभिरम्भोनिधि स्तद्वन्मोहघनो घनैरपि धनैर्जन्तुर्न सन्तुष्यति । न खेवं मनुते विमुच्य विभवं निःशेषमन्यं भवं, . यात्यात्मा तदहं मुधैव विदधाम्येनांसि भूयांसि किम् ॥ ८ ॥ सिन्दूरप्रकर. જેમ કાષ્ઠથી અગ્નિ શાંત થતું નથી અને પાણી વડે સમુદ્ર તૃપ્તિ પામતે નથી, તેમ ઘણેજ મેહિત મનુષ્ય પુષ્કળ દ્રવ્યવડે સતેષી બનતે નથી વળી તે જીવ સઘળું દ્રવ્ય છેડીને બીજે જન્મગ્રહણ કરે છે (તેથી પૂર્વનું દ્રવ્ય સઘળું પડયું રહે છે, છતાં શા માટે આ વૃથાપાપ કરું છું એમ તે જીવાત્મા વિચારતો નથી. ૮.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy