________________
પરિવા. * ધનહરશઠ અધિકાર. નાણુ અપાયાં નથી, પણ હવે હું માત્ર ૧૦ દિવસની અંદર વગર પુછયે આપી દઈશ, એમ કહી રજા લીધી, દશ દિવસને વાયદો કર્યો હતો, પણ તેને પાછા આપવા હોય તેને વાય, પણ જેને મુડીમાં આપવાજ નથી, તેને પછી વાયદાને ફાયદે શું કામ? ૧૦ દિવસને બદલે બેચાર મહિના થયા એટલે ફરી શાહને યાદી આપી કે ખલકપનાહ! પેલે ૧૦ દિવસને વાયદો કરી ગયે હતું, પણ તેને હવામાં ઉડી ગયે આતે દયા ડાકણને ખાય તેવે ઘાટ બને માટે હવે તે કઠેર કાયદે અમલમાં લીધા વિના રૂપીઆ પતવાના નથી ! આ પ્રમાણે બીરબલનું બોલવું સાંભળી અકબરશાહે એકદમ તે લાલને બોલાવી લાવવા હુકમ ફરમાવ્યું તેથી સીપાઈઓએ તેને લાવી હજુર આગળ રજુ , એટલે બાદશાહ ક્રોધવંત થઈ લાલને કહ્યું કે “કેમરે! તારે વાયદે કયાં ગયે? બસ આજે રૂપીઆ આપ્યા પછી જ જવા દેવામાં આવશે. એમ કહી સીપાઈઓને કહ્યું કે આ બદમાસને તડકે બેસાડી મૂકે. સીપાઈઓ તે માત્ર હુકમની જ વાટ જોતા હતા. ખાસા મજેહના તડકામાં લાલને બેસાડી દીધા. લાલે વિચાર્યું કે આજે કમબખતી આવી પહોંચી, હવે મને છોડશે નહિ. તડકે તે પ્રાણ જાય છે, અને નાણાંનાં તે ઠેકાણાં નથી. કેટલાકનાં દેવાં પતવું! એમ કહી ધરતી ઉપર લીટા ખેંચી જે જેનું દેવું હતું તેના તેના નામનું લીટું ખેંચ્યું એટલે ફલાણુના ૧૦૦, ફલાણાના ૪૦૦, ફલાણાના ૮૦૦ના, ફલાણાના ૧૪૦૦ એમ ગણતાં લીટી ખેંચતા છેવટ બાદશાહના ૫૦૦ને તેનું અને એક દરજ શેર અનાજનું પેટનું દેવું તેનું પણ એક લીટું ખેંચ્યું. આ સઘળે પ્રકાર શાહ - ખામાં બેઠે બેઠે નિહાળતું હતું, લાલ સાહેબ તો લીંટા ખેંચી વિચારમાં પડ્યા, માથું ધુણાવતા ચિંતામાં તલ્લીન થયા અને છેવટે છેલ્લા સિદ્ધાંત ઉપર આવી વિચાર્યું કે, સઘળાના દેવાં છે; પરંતુ મારી પાસે હશે તો લેશે, નહિ તે લેશે શું આડી વાટની ધૂળ!” એમ કહી એકપછી એક લીંટા ભુશી નાંખતાં બાદશાહના દેવાનું લીસું આવ્યું તે વખતે ઘણું જ વિચાર કર્યો પણ છેવટ તેને પણ હશે તે લેશે નહિ તે લેશે શું આડી વાટની ધૂળ! શાહ શું કરશે? કેદ પુરશે. પણ તે ક્યાં સુધી? ખાવા આપવું પડશે એટલે છેવટે થાકીને પિતાની મેળેજ કહાડી મૂકશે પણ બીજું શું કરી શકે તેમ છે? આમ વિચારી તે લીટું પણ ભુશી નાખ્યું પણ છેલ્લું પેટના દેવાનું લીટું કઈ રીતે ભુશી શક્ય નથી, કેમકે તેનું દેવું આપ્યા વિના છૂટકો જ નહોતું એટલે લાચાર. આ કામ જેઈ શાહે તેને હજુરમાં બોલાવી પુછયું કે તું શું કરતે હતા? અને એ લીટા કહાડયા તથા વિચાર કરી ભેશ્યા અને એક લીટે ભુશી શક્ય નહી એ શું? લાલે હાથ જોડીને કહ્યું કે ગરીબ પરવર વાત પૂછવામાં કશે માલ નથી, નાહક વાત કહેવાથી હું બમણું ગુન્હેગાર થઈ પડું. શાહે કહ્યું કે જે વાત હોય તે ખુશીથી કહે, તારા ગુન્હા માફ છે. આવું બાદશાહનું