SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યંત શાહે વ્હાલો શકિ. એહવી રીતે પજવે ઘણેરી, એ દુઃખ કેમ ખમાય; એ અભાગણીની સાથે સેંપી, માટે મર બાપને માય. પ્રભુજી, સહુને કેડે સુઈ રહેવા દીએ, રાત દોઢ પહોર વળી જાય; પહેરી રાત રહે પાછલી, લેઈ દરણું તત્પર થાય. . સાસુ કહે છે. અરજી૦ (ઢબ ઉપર પ્રમાણે). અરજી સુણે વ્રજના રાયરે, જાય હવે વહ તે ટાઢ થાય એ ટેકે પિયરમાં તે કામ કરે સવા, બાકી ન રાખે તીહાય; સાસરે આવીને અટકે નહિ, ખાટલે ને ખુણે સુહાય. કઈ દિન કહે છે માથું દુખે છે, કઈ દિન પેટને સાય; કઈ દિન કહે છે પાછું વળે છે, કઈ દિને તુટે પાય.. દર લઈને ઘંટીએ બેસારું છે, ત્યારે ઘટીએ ઉંઘી જાય; ઘણુક કુતરા ઘરમાં ભરાઈને, લેટ પણ ચાટી જાય. શીખામણ દિયું ત્યારે છેડે વાળે છે, રાંડ ભાંડવાને મંડી જાય; માથે રાંડ ને હૈયા પછાડે, લેક જેવાને ભેગું થાય. ,, છોકરાને પણ ખોટે ભણવેને, ભંભેરી ગામની માય; છોકરો હતો મારે હીરાના જે, કામણ કરાવ્યું કાંયેરે. છોકરો મારે હીરાના જે, આવતે કહેતે માય; પથ્થરના જે દિકરે બનાવ્ય, મારે કાળ ફાટી જાય રે. ,, આ વહુ મારે ક્યાંથી મળી એના, બાપનું ઉછેદીયું થાય; એ વહુ મરે તે લાફસીને સીરે, ઘેર ઘેર દીવાળી થાયરે. એવી રીતે પજવે ઘણેરી, એ દુઃખ કેમ ખમાય; કાશીરામ કહે બાલપણામાં, જો દે રહેવાનું મન થાય. કાશીરામ બેહેને! આવી દુર્દશામાંથી બચવા ખાતર અસભ્ય વાતચિત અને અસભ્યગીતે તેમજ ખરાબ સંગત અને ખરાબ વિચારે છોડીને સભ્યવાતચિત, સભ્યગીતે, સારી સંગત અને સારા વિચારોમાં પરાયણ રહેશો તેજ તમે ધર્મરૂપ અમૂલ્ય મણિ સાચવી શકશે. આટલી શિખામણ આપી આ સાસુવહુના ઝઘડારૂપ અધિકારને પૂર્ણ કરવામાં આવે છે. ૭૪
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy