________________
ભાવનગરમાં આત્માનંદસભામાંથી નીકળતા આત્માનપ્રકાશ માસિકના મેંબર પણ થયા છે.
જામનગરમાં આ સાલથી સંઘના અગ્રેસરેએ ધર્મનાથના દેરાસરના વહીવટનું કામકાજ આ શેઠજીને સોંપ્યું છે. ૧૯૯ માં મુનિશ્રી કૃપાચંદજીના ઉપદેશથી શેઠજીએ પાલીતાણામાં પાંત્રીસું
કર્યું અને તે નિમિત્તે રૂા. ૧૦૦ વાપર્યા. ૧૯૭૦ માં શેઠજીએ નવ પદ ઓળીના તપનું ઉઘાપન કર્યું તે નિમિત્તે પ્રભાવના,
સ્વામીવત્સલ, તેની સાથે પાંચમના તપને એક છોડ તથા માન એકાદશીના તપનો એક છેડ તથા વિશસ્થાનકના તપના બે છોડ તેમજ સ્વપલીતરફથી વિશસ્થાનકને એક છેડ મેલવામાં આવ્યું હતું તથા અઠ્ઠાઈ મહોત્સવ કરી તેમજ ત્રણ ગ૭ કરી રૂપીઆ (૩૦૦૦) ત્રણ - હજારને સન્માર્ગે વ્યય કર્યો. ૧૯૭૧ માં ચાતુર્માસમાં પૂજ્ય ઉપાધ્યાય વીરવિજયજી મહારાજજીના શિષ્ય
સાહિત્યપ્રેમી વિનયવિજયજી મહારાજજીના સહેજ ઉપદેશથી શેઠજીએ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ બીજે છપાવવા માટે રૂા. ૪૦૦ ની મદદ આપી, તે ઉપરથી ગ્રંથ છપાવવાનું કામ શરૂ થઈ ગયું.
સદરહુ શેઠજી કસ્તુરભાઈએ જામનગરમાં સાહિત્યપ્રકાશક મંડળની સ્થાપના કરી અને આમંડળનું કાર્ય સંતોષ કારક રીતે ચાલે તેટલા કારણથી સદ્દગૃહસ્થાના આગ્રહથી આ મંડળના પ્રમુખ તથા રેઝર બની ઉક્ત પૂજ્ય મુનિશ્રી વિનયવિજયજીનાં પુસ્તકની જામનગરમાં મંડળની સાથે પુસ્તકાલયની ગોઠવણ કરી અને પોતાની જીંદગીને સેનેરી રેખાથી આંકીને ભવિષ્ય જન્મની સફળતા માટે પોતાની પૂજ્ય માતાની સેવાનો લાભ લેતા સહકુટુંબ વર્તમાનકાળમાં જામનગરના અલંકારરૂપે જામનગરમાં ધર્મધયાનમાં આગળ વધવા તેમજ કુટુંબ તથા પરિચયવાળા માણસને અને મિત્ર
મંડળને સારે ધાર્મિક દાખલો બેસારવા પોતે બિરાજે છે. ૧૯૭૨ માં સહકુટુંબ યણ, પાટણ, રાંધનપુર, શંખેશ્વર), પાનસર,
અમદાવાદ તથા ફાગણ માસમાં પાલીતાણુની યાત્રા કરી રૂા. ૫૦૦ શુભ માગે વાપરી અદ્યાપિ સાધુ તથા સાધ્વીઓને યથાશક્તિ જોઈતી વસ્તુએ વહેરાવી તેમની સેવાનો સારે લાભ લે છે.
૧૯૫૦ ની સાલથી આરંભીને હજુ પણ દરેક ચાદશ તથા પર્વણિના પષા કર્યા કરે છે. તેમજ પ્રાતઃકાળમાં વ્યાખ્યાનમાં જાય છે તથા એક વખત પરિકમણું કરે છે અને તેમાંથી બચતા વખતમાં ધર્મશાસ્ત્ર વાંચે છે.