________________
૧૯૫૩ માં એક રતનશી મનજી સાથે સહકબ ગીરનાર, ભથણ, તા.
ગાજ, આબુ વિગેરેની યાત્રા કરી બે માસના દિવસને સદુપયોગ
કરી રૂ. ૫૦૦ ખર્ચા. ૧૯૫૪ માં સિદ્ધપુર-પાટણમાં પંન્યાસજી મહનવિજયજીએ જ્યારે નિધાન
શ્રીને (કે જે પોતાના સગાં બેન થાય છે અને જેનું નામ સંસારપક્ષમાં નાથીબેન તરીકે પ્રસિદ્ધ હતું તેને) વડી દીક્ષા આપી ત્યારે શેઠજી સહકુટુંબ ત્યાં પધારી શ્રીફલની પ્રભાવના કરી અને ચેથા વ્રતની ટેબીનાં મનુષ્ય ૨૫૦ નું સ્વામીવત્સલ કરી રૂ. ૪૦૦ ખર્ચી.
આ પ્રસંગે સદરહુ શેઠજીએ મુનિશ્રી મેહનલાલજી પાસેથી ભાવ આલવણુ લઈ પોતાના જન્મનું સાર્થક કરવા લાગ્યા. ૧૯૫૬ માં પોતાના માતા કે જેમનું નામ પાંચી બેન છે તેમણે વિશસ્થા
નક વિગેરે વ્રત કર્યા છે અને વષીતપ કરેલ તેમાં પીતળની કુંડી તથા સાકરનું લાણું કર્યું, તેમજ જામનગરની આસપાસના ગામડાઓના એશવાળાને પણ તે લાણું આપવામાં આવ્યું હતું. તેમાં રૂ. ૫૦૦ ખર્ચા.
- ભાવનગરવાળા શેઠ બેચરદાસ ભગવાનદાસ કે જે ઘણું પ્રમાણિક તથા ધર્મનિષ્ઠ હતા તેમની સાથે સહકુટુંબ સમેતશિખરની યાત્રા કરવા ગયા તેમાં નીચે મુજબ વચ્ચે આવતી યાત્રા કરવા લાગ્યા
જેમકે અંતરિક પાર્શ્વનાથ, કાશી, અશ્ચા, હસ્તિનાપુર, રાજગરિનગરી, કલકત્તા, મુક્ષુદાબાદ, ભેયણ તથા પાલીતાણાની યાત્રા
કરી કે જેમાં લગભગ ચાર માસ થયા અને તેમાં રૂ. ૫૦૦ ખર્ચા. ૧૯૪૮ થી ૧૫૮ સુધી અષ્ટમીને તપ કર્યો અને તેનું ઉદ્યાપન દાદાવાડીમાં
મુનિ સુવ્રતના દેરાસર પાસે ચેકમાં મંડપ રેપીને કર્યું. તે પ્રસંગે માતાપિતા તથા પતીના તરફથી અકેક છેડ મેલ્યા હતા અને સ્વામી
વત્સલ કર્યું તેમજ ત્રણ ગચ્છ કર્યા તે સંબંધી રૂ ૪૦૦૦ ખર્ચા. ૧૯૫૯ માં હરજીવન મુલજી વિગેરેની સાથે સહકુટુંબ રતલામ થઈ કેશરી
આજની યાત્રા કરી. વળતી વખતે અજમેર, ઉજેણ, મક્ષીજી, આબુજી, મારવાડમાં પંચતીથી તથા રાણકપુરજી વિગેરેની દેઢ માસ સુધી યાત્રા કરી રૂ. ૫૦૦ પાંચસેનું ખર્ચ કરી મુંબઈમાં ગયા અને ૧૯૪૦ થી ૧૯૫૯ સુધી મુંબઇમાં નગરીઆના નામથી પ્રસિદ્ધ એવા શ્રીનેમીનાથના દેરાસરની દેખરેખ તથા ધર્માદાના ખરડામાં બહુ સારી મદદ કરતા. છે. આ સાલમાં જ્યારે સિદ્ધક્ષેત્રમાં યાત્રા નિમિત્તે ગયા ત્યારે ડુંગરઉપર વાઘણપોળમાં કુમારપાળ રાજાના દેરાસરની જેડમાં જામનગરવાળા શેઠ રાયસીશાહ કૃત શાંતિનાથ મહારાજનું દેરાસર રૂ. ૨૩૦૦ થી સમરાવામાં આરસપહાણુ ઢળાવ્યા તથા ચિત્રકામ કરાયું ને તે દેરાસરમાં શિલાલેખ નાખવામાં આવ્યું છે.