________________
સંવત ૧૯૩૦ માં ધ્રોળના રહીશ શા. પાનાચંદ મકનજીની પુત્રી સદ્દગુણસંપન્ન
બેન લાબુની સાથે પિતાનું લગ્ન થયું, તે ધર્મપતીના ઉમદા સ્વભાવથી તથા તેમની ધર્મલાગણીથી પિતે શાંતિની સાથે ધર્મધ્યાનમાં આ ગળ વધવા લાગ્યા. લગ્ન થયા બાદ ત્રીજે વર્ષે એટલે ૧૯૩૩ ની સાલમાં સહકુટુંબ પોતે મુંબઈ રહેવા લાગ્યા.
પિતાને વેપારી લાઈનની સારી સમજણ પડવાથી શા. વાડીલાલ સાકળચંદની કંપનીમાં ૧૯૩૦ થી ૧૯૩૪ સુધી તેઓના આગ્રહથી પિોતે જોડાયા અને તેથી દર વર્ષે પોતાને રૂપીઆ ૬૦૦ મળવા લાગ્યા.
ત્યારબાદ પિતાની કાર્યદક્ષતાને લીધે એક મીલના દુકાનદાર કાશીદાસ લીલાધરની કંપનીમાં વાર્ષિક રૂપી ૯૦૦ થી સેલમેનતરીકે ઠવાયા.
સદરહ શેઠજી પિતાના પૂર્વજન્મના બળથી બુદ્ધિમાં આગળજ વધવા લાગ્યા કે જે બળને લીધે ૧૯૩૮ માં શેઠ ડ હ્યાભાઈ વાડીલાલ સાકળચંદની કંપનીમાં પોતાના ચાર આનાને ભાગ થયે અને ૧૯૪૦ માં તેને હિસાબ કરતાં ત્રણ વર્ષમાં પિતાને ભાગે રૂા. (૧૧૦૦૦) અગીઆર હજાર આવ્યા એ ધર્મનું પરિણામ હોય એમ પોતે નિરહંકારે
માનવા લાગ્યા. કારણકે કેઈ ઉચ્ચ સ્થિતિ ધર્મવિના મળવી દુર્લભ છે. સંવત ૧૯૩૭ માં બેન નાથી બેનનાં તથા ૧૯૩૯ માં બેન સંતોકનાં શુભ
લગ્ન કરી પોતાની ચગ્ય ફરજ બજાવી હતી, પણ પ્રારબ્ધની ગહન ગતિને લીધે બેન નાથી બેન ૧૯૩૮ માં વિધવા થવાથી પિતાનું મન ગ્લાનિમાં પડી ગયું. સદરહુ બેન નાથીએ ઘણી તપશ્ચર્યા કર્યા બાદ છેવટે પિતાનું ભવિષ્ય સુધારવા જામનગરમાં ૧૯૫૨ માં દીક્ષા લઇ પિતાને જન્મ સફળ કરી કુટુંબને સંતોષ આપે.
શેઠજીની પૂર્ણ વેપારી લાઈનની કુશળતાને લીધે ચુનીલાલ સાકળચંદે ૧૯૪૧ ની સાલમાં ચાલતી કંપનીમાંથી છૂટા પાડી પોતાની કંપનીમાં અગત્યના કામમાં તેમને નિમિ દીધા અને કંપનીમાં ત્રણ
વર્ષ કામ કરથી પિતાને રૂ. (૬૦૦૦) છ હજાર મળ્યા. ૧૯૪૨ માં શેઠજીએ ભાઈ ઘેલાનાં તથા ૧૯૪૭ માં ભાઈ જેઠાલાલનાં શુભ લગ્ન
ઘણા મહેસવથી કરી કુટુંબને સારી રીતે સંતોષ પમાડ. ભાઈ જેઠાલાલનાં લગ્ન કર્યા પહેલાં ૧૯૪૨ ની સાલમાં રૂા. ૧૦૦૦ નાં ઘર વેચાથી લીધાં.
સદરહુ કસ્તુરભાઈ ચુનીલાલ સાકળચંદની કંપનીમાંથી છૂટી પડી પાલણપુરના દીવાન મંગળજી મહેતા તરફથી વાડીલાલ હાથી