________________
સ્થિતિ તથા કુટુંબવર્ણન. શા. કસ્તુરચંદના પૂજ્ય પિતા કશળચંદ મેણશી ગરીબ સ્થિતિના અને ઉચ્ચ વિચારતા હતા. તેમની ધર્મપલી પાંચ બેન કે જે સરળ સ્વભાવનાં તથા અહંભગવાનનાં પૂર્ણ ભક્ત છે. તે ઉત્તમ પુત્રરૂપી રતની ઉત્પત્તિનું સ્થાન ગણાયું. કારણકે –
- દહે. જનની જણ તે ભક્ત જન, કાં દાતા કાં શર;
નહિતર રહેજે વાંઝણી, નહિ ગુમાવીશ નૂર. આ પદ્યને શા. કસ્તુરચંદે સારી રીતે માનથી વધાવી પિતાના હદયમાં ભૂષણરૂપે શોભાવેલ છે.
ઉક્ત શેઠના પિતા ભાઈ કશળચંદ શાહ જામનગરમાં હીરા મુળજીની દુકાનમાં વાર્ષિક રૂ. ૭૫) થી પોતાના કુટુંબનું પિષણ કરતા પણ તે સમયમાં હાલની માફક મેંઘાવારી નહિ હોવાથી કુટુંબ પોષણની મુશ્કેલી નડતી નહિ, - શા. કશળચંદના વડીલ બંધુ મુળજીએ શા. કશળચંદને એક તો પિતાની સારી સ્થિતિ તથા અતિ ગાઢ ભાસ્નેહને લીધે ગ્ય પ્રસંગે વારંવાર મદદ કરેલી છે.
શા. કશળચંદને ઘેર સંવત ૧૦૯ ની સાલમાં જેઠ સુદિ ૨ ને બુધવારને રોજ પુત્રરત પ્રાપ્ત થયું કે જેમનું નામ તિષશાસ્ત્રને આધારે કસ્તુરચંદ પાડવામાં આવ્યું. જેમ પૂર્વ દિશામાં સૂર્ય ઉદય થઈ અંધકારનો નાશ કરી પ્રકાશ કરે છે તેમ આ પુત્ર પિતાના કુટુંબમાં સ્વજન્મથી પ્રકાશ પ્રગટ કરી કુટુંબની દરિદ્રતારૂપી અંધકારને નાશ કર્યો. - શા. કસ્તુરચંદ નિશાળમાં કામ ચલાઉ અભ્યાસ કરી નાની ઉમ્મરમાં પિતાનું ચાન્સ ખીલવવા માટે કાકાના પુત્ર ભાઈ કેશવજી મુળજીની સાથે ૧૯૨૨ - માં મુંબઈ ગયા અને ત્યાં પ્રાગજી મુળચંદની દુકાનમાં છ માસ સુધી ઉમેદવારી કરી. ત્યારબાદ પિતાની ઉત્તમ પ્રકારની ચાલાકીને લીધે તે શેઠ તેજ દુકાનમાં વાર્ષિક રૂ. ૧૦૦) થી વિશ્વાસુ કામમાં જોડાયા. બીજા વર્ષમાં પણ આજ દુકાનમાં વાર્ષિક રૂ. ૧૫૦) મળવા લાગ્યા.
સદ્વર્તનની સાથે વ્યવહારિક કુશળતાનું ફળ. શા. કસ્તુરચદ ઉપરની દુકાનમાંથી મુક્ત થઈ એક જૂદી દુકાનમાં જે. ડાયા કે જેમાં પોતાને વાર્ષિક પગાર રૂ. ૨૦૦) થી જાય અને તે દુકાનમાં આઠ વર્ષ પિતે કામ કર્યું કે જેને અંગે દર વર્ષે પગાર વધતા વધતે વાર્ષિક રૂ. ૫૦૦) ને થયે. આવી પોતાની ચઢતી સ્થિતિમાં ૧૯૨૫ ની સા લમાં સુશીલ બેન પ્રેમનું લગ્ન ઘણી ધામધૂમથી કર્યા.