________________
પરિચ્છેદ.
હિંસાદિષ-અધિકાર
રપ
If હિંસા કરનાર લેકેને પુનર્જન્મમાં તેને બદલે આપ પડે છે. એટ
હુ લુંજ નહિ પરંતુ તેના કરતાં પણ સહસ્ત્રાવધિ વધારે સંકટ વેઠવું પડે છે મનુસ્મૃતિમાં “માં” શબ્દનો અર્થ કરતાં મનુ રાજા જણાવે છે કે મો મને સ: તે અર્થાત જેનું માંસ એક જીવ ખાય છે તે જીવનું માંસ તે જીવ બીજા જન્મમાં ખાશે. આમ બીજાને આપેલું દુઃખ પિતાને પ્રાપ્ત થાય છે એમ ચેસ સમજવું. જેઓ ધર્મના ખરા સિદ્ધાંતને નથી સમજતા તેઓ અધર્મને ધમરૂપ માનવામાં ફસાય છે. જેમાં હિંસા દેષરૂપ છતાં પણું મિથ્યાત્વીઓ તેને વિહિત ગણે છે તેને જોઈને વિચારહીન મનુષ્ય તેની પાછળ દોરાય છે, તેમ ન થાય તે માટે આ હિંસાદેષ અધિકાર લેવામાં આવે છે.
હિંસાથી અનેક વર્ષ સુધી દુખ,
અનુષ્કા (૧-૨). यावन्ति पशुरोमाणि, पशुगात्रेषु भारत ।
तावद्वर्षसहस्राणि, पच्यन्ते नारका नराः॥१॥ હે રાજા ધર્મ ! જે મનુષ્ય પશુઓની હિંસા કરે છે તે પશુઓના શરીરમાં જેટલાં માંચ હોય તેટલા હજાર વર્ષો સુધી તે પુરૂષે નરકમાં પડીને રંધાય છે. ૧
હિંસક મનુષ્ય તીર્થ સ્નાનથી પણ શુદ્ધ થાય નહિ.
कुर्याद्वर्षसहस्रन्तु, अहन्यहनि मज्जनम् । सागरेणापि कृत्स्नेन, वधको नैव शुध्यति ॥२॥
પુરાણ. હિંસક મનુષ્ય હજાર વર્ષ સુધી સમગ્ર તીર્થોના સમૂહરૂપ એવા સમુદ્રમાં હમેશાં સ્નાન કર્યા કરે તે પણ તે શુદ્ધ નથી જ થતું. ૨.